મુખ્યમંત્રીએ મહુડી તીર્થમાં ઘંટાકર્ણ મહાવીર મંદિરે ભક્તિ ભાવ પૂર્વક દર્શન અર્ચન કર્યા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દિપાવલીના તહેવારો દરમિયાન રવિવારે સવારે ગાંધીનગર નજીક આવેલા મહુડી તીર્થમાં ઘંટાકર્ણ મહાવીર મંદિર જઈને ભક્તિ ભાવ પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ઘંટાકર્ણ મહાવીર ની આરતી કરી હતી તેમજ આ તીર્થ ક્ષેત્રની વિશેષ પ્રસાદ ઓળખ એવી સુખડી નો પ્રસાદ પણ ધરાવ્યો હતો. CM Bhupendra Patel visited Ghantakarna Mahaveer Mandir in Mahudi Tirtha and offered darshan with devotion.
શ્રી ભૂપેન્દ્ર પટેલે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ ને દિપાવલી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. મહુડી મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ, જૈન અગ્રણીઓ, પદાધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કર્યું હતું.