Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવે અમદાવાદ અને કટિહાર વચ્ચે વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવેએ છટપૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે 12 નવેમ્બર 2023ના રોજ અમદાવાદ અને કટિહાર વચ્ચે વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનમાં એક 3 ટાયર એસી કોચ અને અન્ય તમામ કોચ અનરિઝર્વ્ડ રહેશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09457 અમદાવાદ-કટિહાર વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ

ટ્રેન નંબર 09457 અમદાવાદ-કટિહાર સ્પેશિયલ અમદાવાદથી રવિવાર, 12 નવેમ્બર 2023ના રોજ 23:45 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે મંગળવારે 18:30 કલાકે કટિહાર પહોંચશે.

રૂટમાં આ ટ્રેન આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઈટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પાટલીપુત્ર, સોનપુર, હાજીપુર,બરૌની અને ખાગરિયા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એક 3 ટાયર એસી કોચ અને અન્ય તમામ અનરિઝર્વ્ડ કોચ હશે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર આ ટ્રેનની ટિકિટ બુક કરવા માટે વધારાનું કાઉન્ટર ખોલવામાં આવ્યું છે. ટ્રેન નંબર 09457ના 3-ટાયર એસી કોચનું બુકિંગ 18.00 કલાકથી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.