Western Times News

Gujarati News

રેખા બોઝે ભારતની હાર બાદ ઈમોશનલ પોસ્ટ મૂકી

મુંબઈ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલ મેચ પહેલા તેલુગૂ એક્ટ્રેસ રેખા બોઝે બિંદાસ નિવેદન આપ્યું હતું જેની ચારેતરફ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. કંઈક આવું જ નિવેદન ૨૦૧૧ના વર્લ્ડ કપ સમયે એક્ટ્રેસ પૂનમ પાંડેએ આપ્યું હતું. તે સમયે તેણે ખૂબ ચર્ચા લૂંટી હતી. પણ હવે આ બધી જાહેરાતો અવળી પડી છે અને ક્રિકેટ ફેન્સ માટે દુઃખની ઘડી આવી ગઈ છે.

રેખા બોઝે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, જાે ઈંડિયા વર્લ્ડ કપ જીતી જશે તો તે વિશાખાપટ્ટનમના દરિયા કિનારે કપડા પહેર્યા વિના દોડશે. આ રીતે તે જીત માટે ટીમ ઈંડિયાને શુભકામના આપશે.

એક્ટ્રેસના વિવાદિત નિવેદન બાદ લોકોએ તેના પર પબ્લિસિટી સ્ટંટનો આરોપ લગાવ્યા હતા, અને તેને ટ્રોલ પણ કરી હતી. હવે અમદાવાદમાં વર્લ્ડ કર ૨૦૨૩ની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ દેશના ૧૪૧ કરોડ દિલ તૂટી ચુક્યા છે. તેમાંથી એક નામ રેખા બોઝનું પણ છે. આ એજ એક્ટ્રેસ છે જેણે બે દિવસ પહેલા જ પ્રોમિસ કર્યું હતું કે જાે ટીમ ઈન્ડિયા જીતી તો તે બીચ પર પોતાના કપડા ઉતારશે.

હવે તેલુગુ અભિનેત્રી રેખા બોજે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટાના પેજ પર લખ્યું છે, દિલ તૂટી ગયું છતાં મેરા ભારત મહાન. આ આખી ટૂર્નામેન્ટમાં આપણી ટીમે સારૂ પ્રદર્શન કર્યું. રેખા બોઝનું નિવેદન વાંચીને લોકોને ૨૦૧૧ના વર્લ્ડ કપની યાદ આવી ગઈ. જ્યારે એક્ટ્રેસ પૂનમ પાંડેએ વર્લ્ડ કપ ફાઈનલ પહેલા આવી જ રીતે વાત કરીને લાઈમલાઈટમાં આવી ગઈ હતી. રેખાએ ભારે ટીકા બાદ પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી કે, તેનો ઈરાદો ટીમ ઈંડિયા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનો હતો.

તેમાં કોઈ વ્યક્તિગત ફાયદો નથી. ઘણા લોકો પરાજય બાદ પણ ટીમ ઈન્ડિયાની પડખે ઊભા રહ્યા છે. ટીમના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર અને વીરેન્દ્ર સેહવાગે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું છે કે તમે એક ચેમ્પિયન ટીમ છો અને તમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન કરેલા પ્રયાસોથી તમારું માથું ઉંચુ રાખો. વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ ૬ વિકેટે હરાવ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયાનું ૧૨ વર્ષ બાદ વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.