Western Times News

Gujarati News

નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનોમાં 5 હજારથી વધુ CCTV ગોઠવવામાં આવશે

ગેરરીતિઓને અટકાવવા અને ગોડાઉનોની અંદર અને બહાર બાજનજર રાખવા નિર્ણય -નિગમના વડામથકમાં એક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવશે

બુલેટ, ડોમ, પીટીઝેડ અને એએનપીઆર પ્રકારના કેમેરા ગોડાઉનોની અંદર અને બહાર લગાવવામાં આવશે

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ પોતાના તમામ ગોડાઉનો ખાતે ગેરરીતિ રોકવા માટે સીસીટીવીનો કડક જાપ્તો ગોઠવશે. નિગમ દ્વારા હાથ ધરાયેલ સીસીટીવી પ્રોજેક્ટ હેઠળ ગોડાઉનોમાં ૫૯૫૩ જેટલા ઉચ્ચ કક્ષાના સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ બુલેટ, ડોમ, પીટીઝેડ તથા એએનપીઆર કેમેરાઓ ગોડાઉનોમાં લગાવાશે જેના વડે ગોડાઉનોની અંદર અને બહારની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે. આ વ્યવસ્થા એટલી કડક હશે કે જિલ્લા કક્ષાના અધિકારીઓ ગોડાઉનોમાં થઈ રહેલી દરેક કામગીરીને પોતાની કચેરીએ બેસી લાઇવ જોઈ શકશે. આ ઉપરાંત નિગમના વડામથક ખાતે એક કમાન્ડ એન્ડ કંટ્રોલ પણ સ્થાપવામાં આવશે.

સઘન મૉનિટરિંગ, જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અનાજના વિતરણમાં પારદર્શકતા લાવવા અને સમયમર્યાદામાં નિવારાત્મક તકેદારી પગલાઓ લેવા માટે નિગમના તમામ ગોડાઉન કેન્દ્રો  ખાતે સીસીટીવી કેમેરા તેમજ જિલ્લા કચેરી અને વડી કચેરી ખાતે કમાન્ડે કંટ્રોલ સેન્ટકર સ્થાપવામાં આવશે. આ સીસીટીવી પ્રોજેક્ટના અમલીકરણ હેતુસર સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.

સીસીટીવી પ્રોજેક્ટ અંતર્ગત નિગમના તમામ ગોડાઉનોમાં બુલેટ, ડોમ, પીટીઝેડ અને એએનપીઆર જેવા હાઈ ક્વૉલિટીના કેમેરાઓ ગોઠવવામાં આવશે. તેમાં બુલેટ કેમેરા ગોડાઉનના બહારના કેમ્પસમાં લગાવવામાં આવશે. જેથી ગોડાઉનની બહારની ગતિવિધિઓ પર નજર રાખી શકાય. આ સાથે જ ડોમ કેમેરા, ગોડાઉનની અંદર લગાવવામાં આવશે જેથી ગોડાઉનના અંદરની ગતિવિધિઓ પર નજર રાખી શકાય. જ્યારે પીટીઝેડ કેમેરાની મદદથી રાત્રિના સમયમાં પણ ગોડાઉનનું મૉનિટરિંગ કરી શકાશે. તેવી જ રીતે એએનપીઆર કેમેરા  ખાસ કરીને વાહનોની નંબર પ્લેટની ઓળખ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

ગોડાઉન ખાતે લગાવવામાં આવનાર કેમેરાનુ મૉનિટરિંગ કરવા નાયબ જિલ્લા મેનેજરની કચેરી, તેમજ જિલ્લા મેનેજરની કચેરી ખાતે વીડિયો વૉલનું સેટઅપ પણ કરવામાં આવશે. આ સેટઅપ થકી તમામ ગોડાઉનમાં થઈ રહેલ કામગીરીનું એક સ્થાને રહી લાઈવ મૉનિટરિંગ કરી શકાશે. આ સાથે જ વીડિયો વૉલના મૉનિટરિંગ માટે માનવબળ પણ પુરૂ પાડવામાં આવશે. જેની મદદથી મૉનિટરિંગ સમયે કોઈ શંકાસ્પદ પ્રવૃતિ ધ્યાને આવતા તેના પર સક્રિયતાથી સમયસર કાર્યવાહી હાથ ધરી શકાશે.

જાહેર વિતરણ વ્યવસ્થાનું સુચારપણે અમલીકરણ થાય અને ગુજરાત રાજ્યના તમામ ગોડાઉનોનું  મૉનિટરિંગ થાય તે હેતુસર નિગમની વડી કચેરી સંકુલ ખાતે ગ્રાઉન્ડા ફ્લોર પર અધ્યતન સુવિધા સાથેનો કમાન્ડે એન્ડ  કંટ્રોલ સેન્ટ ર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. તેની મદદથી ગુજરાતના તમામ ગોડાઉનો ખાતેથી વિતરણ થઈ રહેલ અનાજનું લાઈવ મૉનિટરિંગ કરી શકાશે. આ સીસીટીવી કૅમેરાના મૉનિટરિંગ અર્થે અલગથી માનવબળ આપવામાં આવશે જે ગોડાઉન ખાતેની ગતિવિધિઓ પર 24 કલાક મૉનિટરિંગ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.