Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટથી GSRTCની AC વોલ્વો બસમાં સીધા વડોદરા પહોંચી જવાશે

દિવસમાં એસટીની બે બસ અમદાવાદ એરપોર્ટ પરથી વડોદરા જશે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર આવતા મુસાફરોને પોતાના ઘરે પહોચવા માટે ટેક્ષી કે કેબ કરવી પડતી હોય છે. હવે મુસાફરને આ ઝંઝટમાંથી મુકિત મળી જાય તેના માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી સીધી વડોદરાની બસ સેવા શરૂ કરી છે.

એસી વોલ્વો બસ દરરોજ એરપોર્ટથી વડોદરાની બસ સેવા શરૂ કરી છે. એસી વોલ્વો બસ દરરોજ એરપોર્ટથી વડોદરાની બે ટ્રીપ કરશે. જેને કારણે એરપોર્ટ પરથી મુસાફરો સીધા એસી વોલ્વો બસમાં વડોદરા જઈ શકશે. તેવી જ રીતે વડોદરાના મુસાફરો પણ બસમાં સીધા એરપોર્ટ સુધી પહોચી શકશે.

એસટી બસ દ્વા ફેબ્રુઆરી માસમાં રાજકોટની ટ્રીપ શરૂ કરવામાં આવી હતી. રાજકોટ બસ સેવાને યોગ્ય રીસ્પોન્સ નહી મળ્યો હોવા છતાં વડોદરાની બસ સેવા શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત કચ્છ તથા ઉદયપુર માટેની બસ સેવા અને દક્ષીણ ગુજરાત માટે બસ સેવા શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.

વિદેશ જતાં કે આવી રહેલા મુસાફરોને લેવા-મુકવા માટે આવતા તેમના સ્વજનોને વાહન પાર્કીગને લઈને ઘણી પરેશાની થઈ રહી છે. એરપોર્ટ પર પાર્કીગના ચાર્જ પણ મનઘડંત તરીકે વસુલ કરવામાં આવી રહયા છે. વારંવાર એરપોર્ટ પર કેબ-ટેક્ષી ચાલકો તથા રીક્ષાચાલકો વચ્ચે તકરાર પણ થતી હોયય છે.

આ પરીસ્થિતીમાં જીએસઆરટીસી સમક્ષ એરપોર્ટ ઓથોરીટી દ્વારા મુકવામાં આવેલા પ્રસ્તાવને ધ્યાને લઈને એસટી દ્વારા અમદાવાદ એરપોર્ટથી સીધી રાજકોટની બસ સેવા શરૂ કરાઈ હતી.

હવે વડોદરાના મુસાફરો માટે પણ બસ સેવા શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ ૯મી મેથી આ બસ સેવા શરૂ થશે જે દિવસમાં બે વખત વડોદરાથી અમદાવાદ એરપોર્ટની ટ્રીપ મારશે. એસી વોલવો બસમાં મુસાફરોની સુવિધાની બાબતો પણ ખાસ ફોકસ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.