ટ્રમ્પ વારંવાર સોશિયલ મીડિયા પર ભારત-પાકિસ્તાન સંઘર્ષ અટકાવવાના બણગાં ફૂંકી રહ્યા છે
File Photo
- ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની પ્રશંસા કરી હતી, અને દાવો કર્યો કે શરીફે યુદ્ધ અટકાવીને ૨૫ મિલિયન જીવ બચાવ્યા
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ગયા વર્ષે મે મહિનામાં ભારત અને પાકિસ્તાનને કડક ચેતવણી આપી હતી કે જો બંને દેશો લશ્કરી સંઘર્ષ બંધ નહીં કરે, તો તેમને ૨૦૦ ટકા સુધીના ભારે ટેરિફનો સામનો કરવો પડશે.
- ટ્રમ્પે ફરીથી દાવો કર્યો કે સંઘર્ષ દરમિયાન ૧૧ ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે અગાઉ તેમણે ૬, ૭ અથવા ૮ જેટનો આંકડો આપ્યો હતો.
- તેમણે કહ્યું કે તેમના હસ્તક્ષેપથી બે પરમાણુ સશસ્ત્ર દેશો વચ્ચેનો તણાવ ઓછો થયો.
- ભારતે સતત તૃતીય પક્ષના હસ્તક્ષેપનો ઇનકાર કર્યો છે.
- ટ્રમ્પે જણાવ્યું કે જો ભારત અને પાકિસ્તાન લડત ચાલુ રાખે, તો તેઓ બંને દેશો પર ૨૦૦% ટેરિફ લાદશે, જેનાથી યુએસ સાથેનો વેપાર અશક્ય બની જાય.
- તેમણે કહ્યું કે પૈસાની નુકસાનીની ભીતિએ બંને દેશોએ લડત બંધ કરી.
અમેરિકામાં બોર્ડ ઓફ પીસૅ કાર્યક્રમને સંબોધતા, ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે સંઘર્ષ દરમિયાન ૧૧ ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા હતા, જે હકીકત તેમણે અગાઉ અલગ અલગ આંકડા તરીકે ટાંકી છે, ક્યારેક ૭ અને ક્યારેક ૮. તેમણે પુનરોચ્ચાર કર્યો કે તેમના હસ્તક્ષેપથી બે પરમાણુ સશષ દેશો વચ્ચેના તણાવ ઓછો થયો.
ગાઝા અંગે વોશિંગ્ટનમાં પીસ બોર્ડૅ કાર્યક્રમને સંબોધતા, યુએસ રાષ્ટ્રપતિએ તેમના દાવાને પુનરાવર્તિત કર્યો કે તેમણે વ્હાઇટ હાઉસમાં તેમના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં આઠ યુદ્ધોનો અંત લાવ્યો છે. ભારતે કોઈપણ તૃતીય પક્ષના હસ્તક્ષેપનો સતત ઇનકાર કર્યો છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ટ્રમ્પના નેતૃત્વ હેઠળના બોર્ડમાં જોડાવા માટે સાઇન અપ કરનારા અન્ય દેશોના નેતાઓ સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કાર્યક્રમને સંબોધતા, ટ્રમ્પે તે સંઘર્ષોની યાદી આપી હતી જેનો તેમણે અંત લાવવામાં ભૂમિકા ભજવી હોવાનો દાવો કર્યો હતો. તેમણે આ દેશોના નામ આપ્યા અને તેમના નેતાઓને ઉભા રહેવા વિનંતી કરી. ટ્રમ્પે શરીફને ઊભા રહેવા કહ્યું અને પછી કહ્યું, મેં વડા પ્રધાન (નરેન્દ્ર) મોદી સાથે વાત કરી. તેઓ ઉત્સાહિત છે. તેઓ હમણાં અમને જોઈ રહ્યા છે. શરીફ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું, પાકિસ્તાન અને ભારત. આ એક મોટો મુદ્દો હતો.
મને લાગે છે કે તમારે ખરેખર ઊભા રહેવું જોઈએ, કૃપા કરીને એક ક્ષણ માટે ઊભા રહો. પાકિસ્તાન અને ભારત. ખૂબ ખૂબ આભાર. ગયા વર્ષે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષનો અંત લાવવાનો દાવો કરતા, ટ્રમ્પે શરીફ અને દેશના ફિલ્ડ માર્શલ અને સંરક્ષણ દળના વડા, અસીમ મુનીર પ્રત્યે પ્રશંસા વ્યક્ત કરી.
તેમણે મુનીરને મહાન માણસ કહ્યા. ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે શરીફે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવીને ૨૫ મિલિયન જીવ બચાવ્યૉ હોવાનો દાવો કર્યો હતો. અગાઉ, ટ્રમ્પે દાવો કર્યો હતો કે શરીફે કહ્યું હતું કે તેમણે બંને દેશો વચ્ચેના સંઘર્ષનો અંત લાવીને ૧ કરોડ જીવ બચાવ્યા છે. ટ્રમ્પે કહ્યું, મેં બંને સાથે ફોન પર વાત કરી હતી, અને હું શરીફને થોડો ઓળખતો હતો. ખરેખર, હું વડા પ્રધાન મોદીને ખૂબ સારી રીતે ઓળખતો હતો.
મારા પાકિસ્તાન સાથે કેટલાક વ્યવસાયિક વ્યવહાર હતા. તેઓ ખૂબ જ સારો સોદો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને હું તેમનાથી થોડો નારાજ થતો હતો. પરંતુ અંતે, તેમને જે જોઈતું હતું તે મળ્યું, ખરું ને? તેમણે સારો સોદો કર્યો, અને મને વડા પ્રધાન, ફિલ્ડ માર્શલ, જે એક કઠોર વ્યક્તિ, મજબૂત અને સારા ફાઇટર, એક ગંભીર ફાઇટર, ગમવા લાગ્યા.
ખરેખર, મને સારા ફાઇટર ગમે છે. તેમણે કહ્યું, તેઓ (ભારત અને પાકિસ્તાન) યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ઘણો વેપાર કરે છે, અને અચાનક તેમનું વલણ નરમ પડી ગયું. પછી અચાનક મેં વાંચ્યું કે પહેલા એક દેશે પોતાનું વલણ બદલ્યું, પછી બીજાએ, અને અચાનક અમારી વચ્ચે સોદો થયો. પરંતુ મેં કહ્યું, જો તમે લડશો, તો હું બંને દેશો પર ૨૦૦ ટકા ટેરિફ લાદીશ, જેનો અર્થ એ થશે કે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કોઈ વેપાર કરી શકશે નહીં.
ટ્રમ્પે કહ્યું, હું નામ નહીં લઉં, પણ તેમાંથી એકે કહ્યું, ના, આપણે એવું નહીં કરી શકીએ. તે બંને લડવા માંગતા હતા. બંને લડવા માંગતા હતા. પરંતુ જ્યારે પૈસાની વાત આવી, ત્યારે પૈસાથી વધુ મહત્વનું કંઈ નહોતું. જ્યારે ઘણા પૈસા ગુમાવવાની વાત આવી, ત્યારે તેઓએ કહ્યું, મને લાગે છે કે આપણે લડવા માંગતા નથી. અને અમે બે કે ત્રણ દિવસમાં તે કરાર કરી લીધો. યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું, લોકોને કોઈ ખ્યાલ નહોતો. ઘણા કહે છે,
ઓહ, તેઓ લડી રહ્યા ન હતા. તેઓ લડી રહ્યા હતા, ૧૧ ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા હતા, ખૂબ મોંઘા જેટ, અને તે બધા સંઘર્ષમાં સામેલ હતા. બંને સંઘર્ષમાં સામેલ હતા, અને હવે તેઓ નથી. ટ્રમ્પે કહ્યું, અને મને લાગે છે કે આપણે હંમેશા તેમની સાથે તેનો ઉકેલ લાવી શકીશું. મને ખરેખર એવું લાગે છે. મને લાગે છે… સંબંધોમાં પણ ઘણી પ્રગતિ થઈ છે. અને વડા પ્રધાન મોદી એક મહાન વ્યક્તિ છે. તેઓ બધા મહાન છે.
જોકે, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે તેઓ કયા દેશના ફાઇટર જેટનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ટ્રમ્પે ગયા વર્ષે ૧૦ મેથી ૮૦ થી વધુ વખત ભારત-પાકિસ્તાન સંઘર્ષ અટકાવવાનો શ્રેય લીધો છે. તેમણે ગયા વર્ષે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે બંને પડોશી દેશો યુએસ-મધ્યસ્થી વાટાઘાટો બાદ સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે.
ભારતે ગયા વર્ષે ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ૭ મેના રોજ ઓપરેશન સિદૂર શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું.
