Western Times News

Gujarati News

SIR: સુરત શહેર-જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાંથી 12.34 લાખ મતદારો ઘટી ગયા

પ્રતિકાત્મક

સુરત, સુરત જિલ્લામાં એસઆઈઆરની કામગીરીમાં મતદારો ઈન્ટેÂન્સવલી રિડયુસ થયો છે. સુરત જિલ્લામાં સરની કામગીરી પૂર્ણ થયા બાદ જાહેર કરાયેલી અંતિમ મતદાર યાદીમાં ર૬ ટકા મતદારો ઘટી ગયા છે. આ ઘટાડાએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે.

અગાઉ સુરત જિલ્લામાં ૧૬ બેઠકોમાં કુલ મતદાર સંખ્યા ૪૮,૭૩,પ૧ર હતી જ્યારે નવી અંતિમ યાદીમાં આ આંકડો ઘટીને ૩૬,૩૯,૦૪ર પર આવી ગયો છે. એટલે કે કુલ ૧ર,૩૪,૪૭૦ મતદારો ઘટી ગયા છે.

સુરત જિલ્લામાં દરેક વિધાનસભા બેઠકમાં મતદારોની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમ છતાં ઘટાડા બાદ પણ ચોર્યાંસી વિધાનસભા બેઠક સૌથી મોટી રહી છે. અગાઉ અહીં ૬,૧૩,ર૭૦ મતદારો નોંધાયેલા હતા જ્યારે હવે આ સંખ્યા ૪,ર૯,૬૯૯ પર આવી છે. એટલે કે ચોર્યાંસીમાં જ ૧,૮૩,પ૭૧ મતદારોનો ઘટાડો થયો છે. આટલો મોટો ઘટાડો હોવા છતાં ચોર્યાંસી રાજ્યની સૌથી મોટી વિધાનસભા બેઠક તરીકે યથાવત રહી છે. બીજી તરફ શહેર વિસ્તારમાં આવેલી કરંજ બેઠક સૌથી નાની બની છે. અગાઉ કરંજમાં ૧,૬ર,૪૩પ મતદારો હતા જે હવે ઘટીને ૧,૦૧,૩૩પ રહ્યા છે. એટલે અહીં ૬૧,૧૦૦ મતદારોનો ઘટાડો નોંધાયો છે.

નવી અંતિમ યાદી મુજબ જિલ્લામાં કુલ પુરૂષ મતદારો ૧૮,૮૩,૩૮૧, મહિલા મતદારો ૧૭,પપ,પ૬૮ અને ત્રીજા લિંગના ૯૩ મતદારો નોંધાયા છે. આંકડાકીય રીતે જોતા સરની કામગીરી પછી મતદાર યાદીમાં મોટાપાયે ઘટાડો થયો હોવાનું સ્પષ્ટ થાય છે. મૃત, સ્થળાંતરિત અથવા ડુપ્લીકેટ નામનો કાપણીના કારણે આ ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે.

રાજકીય દૃષ્ટિએ આ ઘટાડો આવનારી ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે કારણ કે અનેક બેઠકોમાં મતદારોની સંખ્યામાં થયેલા મોટા ફેરફાર ચૂંટણીના તમામ સમીકરણોને અસર કરી શકે તેમ છે. સુરત જિલ્લામાં હવે ૩૬.૩૯ લાખ મતદારો સાથે નવી રાજકીય પરિસ્થિતિનું ચિત્ર તૈયાર થયું છે જેમાં ચોર્યાંસી સૌથી મોટી અને કરંજ સૌથી નાની બેઠક તરીકે સામે આવી છે.

ફૂલનાથ મહાદેવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માંગ
સડોદર ઃ જામજોધપુર તાલુકાના સડોદર પાસે આવેલ પ્રસિદ્ધ ફૂલનાથ મહાદેવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી આગળ ધપાવવા માંગણી થઈ છે. આજથી બે વર્ષ પહેલા મૂળુભાઈ બેરા રાજયના વન પર્યાવરણ મંત્રી હતા ત્યારે ફૂલનાથ મહાદેવ મંદિરને પ્રવાસન સ્થળ જાહેર કરી વિકાસ માટે રૂ.૮.પ૦ કરોડનો ખર્ચ કરાશે તેવી જાહેરાત કરી હતી.

બાદ ફૂલનાથ મહાદેવના સાંનિધ્યમાં લોકડાયરામાં પણ આવી જાહેરાત કરવામાં આવી હતી. પણ હજુ સુધી અમલવારી કરવામાં આવી નથી. કોઈ ખાતમુહૂર્ત પણ કરાયું નથી. ફૂલનાથ મહાદેવના મહંત અને સેવકગણ તાત્કાલીક આ જાહેરાતની અમલવારી કરાવવા માંગણી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.