Western Times News

Gujarati News

પિતાને માથામાં ગોળી માર્યા બાદ બાથરૂમમાં મૃતદેહના કર્યા ટુકડાં’

નવી દિલ્હી, લખનઉના આશિયાના વિસ્તારમાં બનેલી હૃદયકંપાવનારી ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. નીટની તૈયારી કરી રહેલા એક કલિયુગી પુત્રએ પોતાના જ પિતાની ઘાતકી હત્યા કરી, લાશના ટુકડા કરી તેને કેમિકલથી ઓગાળવાનો ભયાનક પ્લાન બનાવ્યો હતો.

લખનઉના બંગલા બજારમાં રહેતા દારૂ અને પેથોલોજીના કારોબારી માનવેન્દ્ર સિંહની તેમના જ પુત્ર અક્ષતે ઘાતકી હત્યા કરી નાખી. ૨૦ ફેબ્›આરીના રોજ વહેલી સવારે ૪ઃ૩૦ વાગ્યે, જ્યારે પિતા ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અક્ષતે રાઈફલ વડે તેમના માથામાં ગોળી મારી દીધી હતી.

ગોળી એટલી નજીકથી મારવામાં આવી હતી કે પિતાનું ભેજું ઉડીને રૂમની દીવાલો અને પથારી પર ફેલાઈ ગયું હતું. આ અવાજ સાંભળીને જાગી ગયેલી બહેનને પણ અક્ષતે જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂપ કરી દીધી હતી.હત્યા બાદ અક્ષત પિતાની લાશને ઢસડીને બાથરૂમમાં લઈ ગયો હતો. ત્યાં તેણે બજારમાંથી ખરીદેલી આરી અને ‘બ્લિંકિટ’ એપ દ્વારા મંગાવેલા બે ધારદાર ચપ્પુ વડે પિતાના હાથ-પગ કાપી નાખ્યા હતા.

લોહીથી ખરડાયેલા કપડાં, ચાદર અને ઓશીકાને તેણે નહેર કિનારે લઈ જઈને સળગાવી દીધા હતા. કાપેલા હાથ-પગને એક કોથળામાં ભરીને તે પોતાની કારની ડેકીમાં મૂકી આવ્યો અને બીજા દિવસે નહેર પાસેની ઝાડીઓમાં ફેંકી દીધા હતા.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અક્ષતે આ હત્યા ખૂબ જ આયોજનબદ્ધ રીતે કરી હતી.

તેણે લાશના ટુકડાને નીલા રંગના પ્લાસ્ટિકના ડ્રમમાં ભરી, ૨૦ લીટર એસિડ (કેમિકલ) નાખીને તેને સંપૂર્ણપણે ઓગાળી દેવાની તૈયારી કરી રાખી હતી જેથી કોઈ પુરાવા ન બચે. પોલીસે આરોપીની નિશાનદેહી પર નહેર કિનારેથી માનવેન્દ્ર સિંહના કપાયેલા હાથ-પગ અને સળગેલા કપડાંની રાખ જપ્ત કરી છે.

પૂછપરછ દરમિયાન અક્ષતે જણાવ્યું કે ૧૯ ફેબ્›આરીની રાત્રે નીટના અભ્યાસને લઈને પિતા સાથે તેનો જોરદાર ઝઘડો થયો હતો. આ વાતનો બદલો લેવા માટે તેણે બીજા જ દિવસે આ ભયાનક કાંડને અંજામ આપ્યો હતો. પોલીસે ડ્રમ, આરી અને એસિડ ક્યાંથી ખરીદ્યા હતા તેના પુરાવા પણ એકઠા કરી લીધા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.