Western Times News

Gujarati News

આગ્રા નજીક બસ અકસ્માતમાં ર૯ના મોત

લખનૌ: લખનૌથી દિલ્હી જતી એક મુસાફર બસ ખાડામાં પડી જતાં ર૯ મુસાફરોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થયા છે. મુસાફરોની ભરેલી આ વોલ્વો બસ લખનૌથી દિલ્હી આવી રહી હતી ત્યા આગ્રા પાસે પૂરઝડપે આવી રહેલી આ વોલ્વો બસના ડ્રાઈવે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ નાળામાં ખાબકતા ર૯ લોકોના સ્થળ ઉપર જ મૃત્યુ થયા છે બસની નીચે કેટલાક મુસાફરો દટાયા હોવાની શંકા ઘેરી બની છે.

બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે તથા બસને બહાર કાઢવા તથા નીચે દટાયા હોય તેમને બહાર કાઢવાની કામગીરી શરૂ કર્યાનો અહેવાલ પ્રાપ્ત થયો છે. આગ્રા- યમુના એકસપ્રેસ હાઈવે પર મુસાફરોથી ભરેલી વોલ્વો બસ નાળામાં ખાબકી હોવાના સમાચાર જાણી આજુબાજુના વિસ્તારના લોકો આવી પહોચતા બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યા છે બસ નાળામાં પડી જવાને પગલે અનેક લોકો ઘાયલ થયા છે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલીક સારવાર મળે તે માટે હોÂસ્પટલમાં ખસેડવામાં આવી રહ્યા છે જેમાં ઘણા મુસાફરોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. દરમ્યાનમાં દિલ્હીના મુખ્યમંત્રીએ તાત્કાલીક તપાસનો આદેશ આપ્યો છે તથા મૃતકના પરિવારજનોને રૂ.પ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.