Western Times News

Gujarati News

આંબાવાડીમાં પરીવાર સંબંધીના ઘરે ગયો, તસ્કરો ૧.પ૭ લાખની મત્તા ચોરી ગયા

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીના મેનેજર થોડા દિવસ અગાઉ સહ પરીવાર સંબંધીને ત્યાં ગયા હતા બે દિવસ બાદ ત્યાંથી ઘરે પરત ફરતાં જ તેમને ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી તસ્કરો ઘરમાંથી ૧.પ૭ લાખથી વધુની મત્તા ચોરી ગયા હતા.

આ ઘટનાની વિગત એવી છે કે નીરજભાઈ મહેતા (પ૦) આઝાદ સોસાયટી વિભાગ-૧, આંબાવાડી ખાતે રહે છે અને ખાનગી કંપનીમાં સિનિયર સેલ્સ મેનેજર તરીકે કાર્યરત છે. ગઈ તા.૧૧ સપ્ટેમ્બરે નીરજભાઈ તેમની પત્ની તથા પુત્રની સાથે પાલડી, જૈન મર્ચન્ટ સોસાયટી નજીક રહેતા તેમના બનેવી શ્યામુભાઈ શાહના ઘરે ગયા હતા

જયાં બે દિવસ રોકાયા હતા ત્યાંથી ૧૩ સપ્ટેમ્બરે પરત ફરતાં જ તેમના ઘરના મુખ્ય દરવાજાનો લોક તુટેલો જાેઈ ચોંકી ઉઠયા હતા અને ઘરમાં તપાસ કરતા તમામ સામાન વેરવિખેર હાલતમાં પડયો હતો અને સેવા કરવાના રૂમમાં મુકેલી તિજાેરીમાંથી તસ્કરો સોનાનો હાર, મુગટ, ચાંદીની મુર્તિઓ તથા ગ્લાસ અને હિંચકો સહીત કુલ રૂપિયા એક લાખ ૪૦ હજારના દાગીના તથા ૧૭ હજારથી વધુની રોકડ સહીત કુલ ૧.પ૭ લાખ રૂપિયાની મત્તા ચોરી ગયા હતા. જાણ થતાં જ સેટેલાઈટ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને સોસાયટીના સીસીટીવી કેમેરાને આધારે તેમણે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.