Western Times News

Gujarati News

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે શ્રી સોમનાથ મહાદેવને વિશેષ પુજા સહિતના કાર્યક્રમો યોજાયા

માન.વડાપ્રધાન શ્રી તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઇના જન્મદિવસ  નિમીતે શ્રી સોમનાથ મંદિર ખાતે તેઓના નિરામય આરોગ્ય અને   દીર્ઘાયુષ્ય માટે  તીર્થ પુરોહિતો દ્વારા મહામ્રુત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ તેમજ મહાપૂજન કરવામાં આવેલ.

શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષશ્રી, માન.ટ્રસ્ટી સેક્રેટરી શ્રી તથા સર્વે ટ્રસ્ટીશ્રીઓ તેમજ ટ્રસ્ટ પરિવાર તરફથી માન. શ્રી નરેન્દ્રભાઇને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.સાયં સમયે શ્રી સોમનાથ મંદિરમાં વિશેષ દીપમાળા પ્રજ્વલિત કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે .

પ્રમુખ ગીર સોમનાથ જીલ્લા ભાજપ ઝવેરીભાઇ ઠકરાર,શ્રી દેવાભાઇ ધારેચા સાથે ભાજપના કાર્યકરો દ્વારા માન. વડાપ્રધાન શ્રી ના જન્મદિને શ્રી સોમનાથ મંદિરે માર્કંન્ડેય પૂજા કરવામાં આવેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.