Western Times News

Gujarati News

આસામ-બિહારમાં પુરથી એક કરોડથી વધુ લોકોને અસર થઇ

ગુવાહાટી-પટણા : બિહાર અને આસામાં પુરની સ્થિતિ ખુબ ગંભીર બનેલી છે. બંને રાજ્યોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ ખરાબ થયેલી છે. બિહારમાં વધુ ત્રણ લોકોના મોત થતાં સત્તાવારરીતે મોતનો આંકડો ૧૩૦ ઉપર પહોંચ્યો છે જ્યારે બિન સત્તાવારરીતે મોતનો આંકડો ૨૧૦ ઉપર પહોંચ્યો છે. દરભંગા અને સુકોલમાં બે-બે લોકોના મોત થયા છે.

રાજ્યમાં હજુ પણ ૧૩ જિલ્લાઓમાં પુરની અસર થયેલી છે અને ૮૮ લાખ લોકો સકંજામાં છે. બીજી બાજુ પટનાથી પ્રાપ્ત અહેવાલ મુજબ બિહારના ૧૩ જિલ્લાઓમાં પણ પુરની સ્થિતિ ગંભીર બનેલી છે.

ઉત્તરીય વિસ્તારોમાં નેપાળના વિસ્તારોમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે પાણીની સપાટી વધી ગઈ છે. ૧૩ જિલ્લાઓમાં પુરની સ્થિતિસર્જાઈ ગઈ છે. રાજ્યના ૧૩ જિલ્લા શિવહર, સીતામઢી, પૂર્વીય ચંપારણ, મધુબની, અરેરિયા અને કિસનગંજના ક્ષેત્રમાં પુરની સ્થિતિસર્જાઈ ગઈ છે. દરભંગા, વૈશાલી અને મુઝફ્ફરપુરમાં પણ નદીઓમાપુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. બિહારમાં ૧૩૦ મોત થયા છે.

સિતામડીમાં સૌથી વધારે ૩૭ લોકોના મોત થયા છે. જ્યારે અરનિયામાં નવ લોકોના મોત થયા છે. બિહારમાં પુરના કારણે ૮૬ લાખ લોકોને અસર થઇ છે. બીજી બાજુ ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં સ્થિતિમાં આંશિક સુધારો થયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કહેવા મુજબ ૧૩ જિલ્લાઓના ૮૬૪ ગામો હજુ પણ અસરગ્રસ્ત થયેલા છે. રાજ્યમાં ૪૦૦ રાહત કેમ્પમાં ૩૦૦૦૦ લોકો શરણ લઇ રહ્યા છે. પાણીની સપાટી નદીઓમાં ઘટી રહી છે પરંતુ ખતરાની Âસ્થતિ હજુ પણ અકબંધ રહેલી છે.


આજે વધુ ચાર લોકોના મોત થયા હતા. આની સાથે જ આસામમાં મોતનો આંકડો ૯૦ ઉપર પહોંચ્યો હતો. બારપેટામાં બે અને કોકરાઝારમાં એકનું મોત થયું હતું. અસરગ્રસ્ત તમામ લોકોને ૬૮ રાહત કેમ્પોમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ ભારે વરસાદ બાદ ઉભી થયેલી પુરની સ્થિતિના કારણે ૧૫૩૨૧૧ હેક્ટર પાક જમીનને નુકસાન થયું છે.

રાજ્ય સરકાર દ્વારા બચાવ કામગીરી વધુ તીવ્ર કરી દેવામાં આવી છે. જે ૩૧ અસરગ્રસ્ત જિલ્લાઓ રહેલા છે તેમાં ધેમાજી, લખીમપુર, સોનિતપુર, બક્સા, બારપેટા, નાલબેરી, ચિરાંગ અને અન્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે. આસામમાં પુરના પરિણામ સ્વરુપે વિશ્વપ્રસિદ્ધ કાજીરંગા નેશનલ પાર્કમાં ૭૦ ટકા પાણી ઘુસી ગયા છે. આસામમાં અડધાથી પણ વધારે જિલ્લાઓ બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓમાં પુરના કારણે જળબંબાકાર થઇ ગયા છે. આસામના બારપેટામાં સૌથી વધારે ૭.૩૫ લાખ લોકોને અસર થઈ છે.

આસામમાં કાજીરંગા પાર્કમાં પણ પુરના પાણી ઘુસી ગયા છે. હાલમાં એનડીઆરએફની ૧૫ ટીમો લાગેલી છે.સ્થિતિમાં હાલમાં સુધારો થવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. બંને રાજ્યોમાં રોગચાળાને રોકવા માટે હાલમાં વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જેથી સામાન્ય લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે. કેન્દ્ર સરકારની પણ સ્થિતિ પર નજર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.