Western Times News

Gujarati News

શ્વેતા તિવારી વિરૂધ્ધ અભિનવ કોહલીએ માનહાનિનો કેસ કર્યો

મુંબઇ, અભિનેત્રી શ્વેતા તિવારી તેની અંગત લાઇફને કારણે ઘણી ચર્ચામાં રહે છે પહેલાપતિથી છુટાછેડા બાદ વર્ષ ૨૦૧૩માં અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા અને લગ્ન બાદ દીકરાને જન્મ પછી તેમના સંબંધોમાં આવેલી ખટાશ થોડા મહિના પહેલા અભિનવે આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની શ્વેતા તેને દીકરાથી અલગ કરી દીધો છે.એક વખત ફરી અભિનવે આ આરોપ લગાવ્યો છે તેણે કહ્યું કે દીકરા રિયાન્સને શ્વેતા છુપાવી દીધો છે જાે કે તે તમામ આરોપોની વચ્ચે આશરે એક અઠવાડીયા બાદ તેના દીકરા સાથે મુલાકાત થઇ એટલું જ નહીં અભિનવે હવે શ્વેતા વિરૂધ્ધ માનહાનિનો કેસ ઠોકી દીધો છે.

શ્વેતા તિવારી ગત મહિનામાં કોરોના પોઝીટીવ આવવાને કારણે તે ખુબ ચર્ચામાં હતી કોરોનાને કારણે તેણે તેના દીકરા રિયાંશને તેના પિતા અભિનવ કોહલીને શોંપ્યો હતો. પણ હવે અભિનવનો આરોપ છે કે ૨૫ ઓકટોબરથી શ્વેતા તેને લઇ ગઇ છે અને દીકરાને ગુમ કરી દીધો છે.હાલમાં જ અભિનવે પોતાનું દુખ જણાવ્યું હતું. અભિનવે કહ્યું કે એક અઠવાડીયા બાદ તે દીકરા રેયાંશને મળ્યો પણ શ્વેતાએ થોડા જ સમયમાં તેને મારાથી દુર કરી દીધો તેણે કહ્યું કે જયારે મે મારા દીકરાને મળ્યો તો મને લાગ્યું કે તે થોડો ડરેલો હતો.અભિનવે કહ્યું કે જયારથી મારા લગ્ન થયા ત્યારથી પરિવાર અને મારા દિકરા માટે થઇને હું ધણી સમજૂતી કરતોરહ્યો પરંતુ તેણે મારા પર ખોટા આરોપો લગાવ્યા એટલું જ નહીં જેલમાં પણ મોકલ્યો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.