Western Times News

Gujarati News

૩૭૦ની કલમ નાબુદ કરવાનો મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય

વિપક્ષોએ ભારે હોહા કરી મુકતા રાજયસભાની કામગીરી સ્થગિત કરાઈ : દેશભરમાં સરકારના નિર્ણયને આવકાર : વડાપ્રધાન નિવાસસ્થાને મળેલી તાકિદની કેબીનેટની બેઠક બાદ ગૃહમંત્રી અમિત શાહે રાજયસભામાં રજુ કરેલી બીલ : વિપક્ષોના હોબાળા વચ્ચે બીલ રજુ

નવી દિલ્હી : ભારતના સ્વર્ગ મનાતા કાશ્મીરમાં આંતકવાદી ગતિવિધિઓના કારણે તથા તેને અપાયેલા વિશેષ દરજ્જાથી કેટલાક તત્ત્વો તેનો સતત ગેરલાભ ઉઠાવતા હતા જેની સામે કેન્દ્ર સરકારે છેલ્લા કેટલાક સમયથી રણનિતી ઘડી કાઢી મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની દિશામાં ગતિવિધિ તેજ કરતા જ દેશભરમાં કાશ્મીરનો મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે.

છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનોને તૈનાત કરી દેવાતા અને મોડી રાત્રે કાશ્મીરના સ્થાનિક નેતાઓને નજર કેદ કરી દેવામાં આવતા જ સમગ્ર કાશ્મીરમાં અંજપાભરી શાંતિ જાવા મળી રહી છે બીજીબાજુ ગઈકાલ રાતથી જ દેશના પાટનગર દિલ્હીમાં રાજકીય ગતિવિધિ ખૂબ જ તેજ બની ગઈ હતી.

આજે વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસસ્થાને દેશમાં આંતરિક સુરક્ષાના મુદ્દે મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી અને ત્યારબાદ વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી તાકીદની કેબીનેટની બેઠકમાં કાશ્મીરના મુદ્દે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે જે અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજયસભામાં ૩૭૦ની કલમ નાબુદ કરવા અંગેનું બીલ રજુ કરતા જ વિપક્ષોએ હોબાળો મચાવ્યો છે.

જાકે આ બીલને રજુ કરતાની સાથે જ મોદી સરકારે અત્યાર સુધીનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું રાજકીય નિષ્ણાંતો માની રહયા છે. ૩૭૦ની કલમ હટાવવા ઉપરાંત અન્ય ત્રણ મહત્વના બીલ અમિત શાહ રાજયસભામાં રજુ કરવાના છે.

જમ્મુ-કાશ્મીરના મુદ્દે ચાલી રહેલી ગતિવિધિઓ બાદ આજે સવારે કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સૌ પ્રથમ રાજયસભામાં પહોંચ્યા હતા અને ત્યારે કોંગ્રેસના અગ્રણી નેતા ગુલામનબી આઝાદે ભારે ઉહાપોહ મચાવ્યો હતો અને જણાવ્યું હતું કે અત્યારે કાશ્મીરમાં યુધ્ધ જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે આ ઉપરાંત સ્થાનિક નેતાઓને નજર કેદ પણ કરવામાં આવ્યા છે.

આ અંગે સરકારે સ્પષ્ટતા કરવી જાઈએ તેના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સરકાર દરેક મુદ્દા પર વિસ્તૃતથી ચર્ચા કરવા તૈયાર છે આ દરમિયાન બીલ તાકિદે રજુ કરવામાં આવ્યુ હોવાથી તેને સમજવા માટે સમય માંગવામાં આવ્યો હતો રાજયસભાના અધ્યક્ષ વૈકેયા નાયડુએ આ માંગણીને માન્ય રાખી હતી અને જણાવ્યું હતું કે તેના માટે સમય આપવામાં આવશે.

આ કાર્યવાહી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપવાની શરૂઆત કરી હતી. કોંગ્રેસના હોબાળા વચ્ચે અમિત શાહે જણાવ્યું હતું કે તેઓ સંસદમાં ચાર સુધારા વિધેયક બીલ લઈને આવ્યા છે જેમાં સૌ પ્રથમ ૩૭૦ની કલમ નાબુદ કરવાનું મહત્વનું બીલ છે. અમિત શાહે આ બીલ રજુ કરતા જ વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો મચાવી મુકયો હતો

જેના પગલે અધ્યક્ષને રાજયસભાની કાર્યવાહી અટકાવી દેવાની ફરજ પડી હતી. કેન્દ્ર સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને પગલે દેશભરમાં આવકાર મળી રહયો છે જાકે અગાઉથી જ રાજકીય નિષ્ણાતો જણાવતા હતા કે જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ નાબુદ કરવા ઉપરાંત ૩પ/એ કલમ પણ નાબુદ કરવામાં આવનાર છે અને તે મુજબ આજે સવારે રાજયસભાની કાર્યવાહી શરૂ થતાં જ ૩૭૦ની કલમ નાબુદ કરતુ બીલ રાજયસભામાં રજુ થઈ ગયું છે

જાકે ભારે ઉહાપોહના કારણે રાજયસભાની કાર્યવાહી અટકાવી દેવામાં આવી છે આ કામગીરી પુનઃ શરૂ થતા જ વધુ ત્રણ બીલો લાવવામાં આવનાર છે. દેશભરના લોકો કાશ્મીરના મુદ્દે જાણવા માટે ભારે આતુર હતા અને સવારથી જ દિલ્હીમાં શરૂ થયેલી ગતિવિધિ પર નજર રાખતા હતાં

આ દરમિયાનમાં જ અમિત શાહ સંસદ ભવન રવાના થતાં જ દેશભરમાં ગરમાવો આવી ગયો હતો રાજયસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ અમિત શાહે ૩૭૦ની કલમ નાબુદ કરતુ સુધારા વિધેયક બીલ રજુ કર્યું હતું.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર મહત્વપૂર્ણ કામગીરી કરે તેવી પરિસ્થીતિનું નિર્માણ થયું હતું અમરનાથ યાત્રીઓ પર આંતકવાદીઓનું હુમલાનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી બીજીબાજુ કેન્દ્ર સરકાર પણ જમ્મુ-કાશ્મીરના મુદ્દે ખૂબજ ગંભીર બની ગઈ છે.

છેલ્લા ૧૦ દિવસથી જમ્મુ-કાશ્મીરમાં લશ્કરની ટુકડીઓને તૈનાત કરી દેવામાં આવી છે અને સરહદ ઉપર પણ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપવામાં આવી રહયો છે. આ દરમિયાનમાં ગઈકાલે મધરાત્રે કાશ્મીરના ચાર નેતાઓને નજર કેદ કર્યાં બાદ સમગ્ર કાશ્મીરમાં મોબાઈલ, ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને ૧૪૪ની કલમ પણ લાગુ કરી દેવાઈ છે. બીજીબાજુ દિલ્હીમાં ગઈકાલે રાતથી જ રાજકીય ગતિવિધી તેજ બનવા લાગતા વિપક્ષો પણ ચોંકી ઉઠયા છે.

જમ્મુ-કાશ્મીરના મુદ્દે દિલ્હીમાં શરૂ થયેલી હલચલના પગલે હવે મોદી સરકાર કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લે તેવું રાજકીય નિષ્ણાતો માની રહયા છે. ગઈકાલે જ કરાયેલી જાહેરાત મુજબ આજે વહેલી સવારથી જ દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.