Western Times News

Gujarati News

ઉર્દૂના પ્રખ્યાત કવિ શમ્સુર રહેમાનનું નિધન

અલ્હાબાદ, શુક્રવારે અલ્હાબાદમાં ઉર્દૂના પ્રખ્યાત કવિ શમ્સુર રહેમાન ફારૂકીનું નિધન થયું છે. 85 વર્ષીય ફારુકી એક મહિના પહેલા જ કોરોનાથી સ્વસ્થ થયા હતા. પદ્મ શ્રીથી સન્માએનઆઇટી ફારૂકીને 23 નવેમ્બરના રોજ દિલ્હીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોના સંક્રમણ લાગ્યાં બાદ તેમને અહીં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમના ભત્રીજા મહેમૂદ ફારૂકીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં રહેતી વખતે તેમણે અલ્હાબાદમાં પોતાના ઘરે જવાની જિદ કરી હતી. અમે તેમની સાથે સવારે અહીં પહોંચ્યા હતા. ઘરે આવ્યાના અડધા કલાક પછી જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.