Western Times News

Gujarati News

રામજન્મભૂમિની માટીની પણ લોકોમાં ભારે ડિમાન્ડ

નવી દિલ્હી: અયોધ્યામાં રામ જન્મ ભૂમિ પર ભવ્ય રામ મંદિર બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે.હાલમાં અહીંયા પાયા ખોદવામાં આવી રહ્યા છે અને આ કામગીરી દરમિયાન નીકળી રહેલી માટીની પણ ભારે ડીમાન્ડ છે.લોકો તે પ્રસાદ તરીકે ઘરે લઈ જઈ રહ્યા છે. હવે અહીંયા દર્શન માટે આવતા ભાવિકોને ડબ્બીમાં માટી પેક કરીને આપવામાં આવી રહી છે.

લોકો આ માટીના દર્શન કરીને પણ ધન્ય થઈ રહ્યા છે.પાયામાંથી નીકળેલી માટીને વિતરણ કરવા માટે અલગ અલગ જગ્યાએ રાખવામાં આવી છે.જાેકે ડબ્બીમાં માટી પેક કરીને અમુક જ લોકોને અપાય છે.બાકી લોકોએ માટી લેવા માટે જાતે વાસણ લઈને આવવુ પડે છે.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનુ કહેવુ છે કે, રામ મંદિર નિર્માણ દરમિયાન થયેલા ખોદકામમાં નીકળેલી માટી ભક્તો માટે હવે આસ્થાનુ પ્રતિક બની ગઈ છે.એટલે ટ્રસ્ટે આ માટીને રામ જન્મ ભૂમિ રજકણ નામ આપ્યુ છે.રામ જન્મ ભૂમિ ગર્ભગૃહ જ્યાં છે ત્યાંથી નીકળેલી માટીની તો વિશેષ ડિમાન્ડ છે.લોકો અને સાધુ સંતો પણ તેની માંગ કરી રહ્યા છે.સંતો પણ આ માટી સાથે લઈને જાય છે. માટી માટે કોઈ નિયમ નથી બનાવાયા.જે પણ વ્યક્તિ આ માટી માંગે છે તેને આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.