જમીન વહેચણી માટે ખાતા અલગ કરવા જમીન માપણી કરાવવી જરૂરી નથી
પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઉંધાડની રજૂઆતને પગલે જમીન વહેચણી માટે ખાતા અલગ કરવા જમીન માપણી કરાવવાની જરૂર નથી તેવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ જમીન વહેચણી કે વેચાણ થયા બાદ જમીનની ઇ-ધરા કેન્દ્રમાં એન્ટ્રી કરવામાં આવતી,
અને તે એન્ટ્રી મંજૂર થયા બાદ સરકારી માપણી થયા પછી જ ખેડૂતના ખાતા તથા ૭-૧ર નું પાનુ અલગ કરવાની જાગવાઇ હતી. જેના કારણે ખેડૂતોને ખાતા અલગ કરવામાં મુશ્કેલી પડતી અને ખર્ચ પણ ભોગવવો પડતો હતો.
આ અંગે બાવકુભાઇ ઉંધાડને રજૂઆત મળતા તેમણે મુખ્યમંત્રી અને મહેસુલમંત્રીને લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી. તેમની રજૂઆતને ધ્યાને લઇ સરકાર દ્વારા જૂનો જીઆર સ્થગિત કરી નવો જીઆર કરવામાં આવ્યો છે.