Western Times News

Gujarati News

ખેડબ્રહ્મામાં મતદાર જાગૃતિ રેલી યોજાઇ

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, જિલ્લા સ્વિપ નોડલ હર્ષદ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા તાલુકામાં મતદાર જાગૃતિ માટે બાઈક રેલી યોજવામાં આવી. તા.પ્રા. શી. ત્રિગુણાબેન પંડ્યા અને બીઆરસી પિયુષ કુમાર જાેશીએ રેલીને પ્રસ્થાન કરાવ્યું. રેલીનો મુખ્ય હેતુ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ના મતદારોને મતદાન કરવા માટે જાગૃત કરવાનો હતો.

જિલ્લા નોડલ દ્વારા યુવા મતદારોને જાગૃત કરવા કોલેજ કક્ષાએ તથા ગ્રામ્ય કક્ષા એ મતદારોની જાગૃત કરવા ગ્રામ્ય કક્ષાએ બીએલઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગ મતદારોને કોઈ તકલીફ ન પડે એ માટે ગઈકાલે નોડલ અધિકારી દ્વારા દિવ્યાંગ મતદારોએ PWD એફ તથા ઇવીએમ નું નિદર્શન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.