ભારત માટે “અડધી રાત્રે આઝાદી” પુસ્તક લખનાર ફ્રાન્સના લેખક ડોમિનિકનું નિધન

(એજન્સી)નવીદિલ્હી, ફ્રાંસના પ્રખ્યાત લેખક ડોમિનિક લેપિયરનું ૯૧ વર્ષની વયે નિધન થયું છે. તેમણે ઘણી ઐતિહાસિક ઘટનાઓને પુસ્તકોમાં વણી લીધી હતી, જેણે સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સ બનાવી હતી. Dominique Lapierre writer of Freedom at midnight for India.
તેમણે ભારતની સ્વતંત્રતા અને ભાગલા પર આધારિત પુસ્તક ‘ફ્રીડમ ઓફ મિડનાઇટ’ લખ્યું હતું. તેમની સાથે સહ-લેખક તરીકે હેન્રી કોલિન્સ પણ હતા. આ પુસ્તક એક અધિકૃત પુસ્તક છે જે ભારતની આઝાદી અને ભાગલાનો ઇતિહાસ જણાવે છે. આ ઉપરાંત કોલકાતાના એક રિક્ષા ડ્રાઇવરના જીવન પર આધારિત પુસ્તક ‘સિટી ઓફ જાેય’ પણ ખૂબ જ પ્રખ્યાત રહ્યું છે.
૩૦ જુલાઈ, ૧૯૩૧ના રોજ ફ્રાન્સના ચેટેલીલોન શહેરમાં જન્મેલા ડોમિનિક લેપિયર ફ્રાન્સના પ્રખ્યાત લેખક હતા. તેમની પત્નીએ ફ્રેન્ચ અખબાર વોર-માટિનને જણાવ્યું હતું કે તેમનું ૯૧ વર્ષની વયે નિધન થયું છે. સહ-લેખક લેરી કોલિન્સ સાથે મળીને તેમણે ભારતની સ્વતંત્રતા અને ભાગલા પર આધારિત પુસ્તક લખ્યું હતું.
‘ફ્રીડમ ઓફ મિડનાઇટ’ શીર્ષક ધરાવતું આ પુસ્તક વિશ્વભરમાં ચર્ચામાં રહ્યું હતું. આ પુસ્તક ભારતની સ્વતંત્રતા અને ભાગલાના ઇતિહાસને વર્ણવતા અધિકૃત પુસ્તકોમાંનું એક છે. ફ્રીડમ ઓફ મિડનાઇટ’ લેપિયર અને કોલિન્સનું વિશ્વવિખ્યાત પુસ્તક છે. તેની પ્રથમ આવૃત્તિ ૧૯૭૫માં પ્રકાશિત થઈ હતી.
તત્કાલીન ગવર્નર જનરલ લુઇસ માઉન્ટબેટનને આ પુસ્તકના આગેવાન તરીકે રજૂ કરવામાં આવ્યા છે અને આખી વાર્તા તેમની આસપાસ ફરે છે. છેલ્લા કેટલાક પ્રકરણોમાં મહાત્મા ગાંધીના કોમી રમખાણો અંગે શાંતિના ઉપદેશોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પુસ્તકમાંના લેખકના જણાવ્યા અનુસાર, છેલ્લા વાઇસરોય તરીકે માઉન્ટબેટનનું વલણ ભાગલાની વિરુદ્ધ હતું અને જાે તેમને ખબર હોત કે જિન્ના થોડા મહિનાઓ માટે માત્ર મહેમાન છે, તો માઉન્ટબેટન ભાગલાને બદલે જિન્નાના મૃત્યુ સુધી રાહ જાેતા રહ્યા હોત.
જાે કે આ વાતની જાણકારી માત્ર ઝીણાના હિંદુ ડૉક્ટરને જ હતી, જેમણે પોતાના દર્દી સાથે દગો નહોતો કર્યો. જાે કે પુસ્તકમાં એ વાતનો કોઈ ઉલ્લેખ નથી કે જિન્નાએ ક્યારેય તેમને આ વાત બીજા કોઈથી છૂપાવવા માટે ખાસ સૂચના આપી છે.