Western Times News

Gujarati News

સરવા ગામમાં આવેલ અમૃત સરોવરની પાસે વુક્ષારોપણ કરતાં કલેકટર

(માહિતી બ્યુરો, પાટણ), મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાહેંધરી યોજના અંતર્ગત સરવા ગામમાં આવેલ અમૃત સરોવર પાસે જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને વુક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

સરવા ગ્રામવાસીઓ દ્વારા જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ કલેકટરશ્રીએ મહાકાળી માતાજીના દર્શન કરી આર્શિવાદ મેળવી અમૃત સરોવરની પાસે પહોંચ્યા હતા. જ્યાં સરવા ગ્રામવાસીઓ પાસે સીધો સવાંદ કર્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેકટરશ્રી અમૃત સરોવરની પાસે વુક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ત્યારબાદ અન્ય મહાનુંભાવો દ્વારા પણ વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. એમ. સોલંકી, નિયામકશ્રી આર.કે.મકવાણા, તાલુકા પંચાયત પાટણ પ્રમુખશ્રી લક્ષ્મીબેન પટેલ, તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી નરેશભાઇ પરમાર તેમજ અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.