Western Times News

Gujarati News

ભારતીય મૂળના બ્રિટિશ સાંસદે હાથમાં શ્રીમદ ભગવત ગીતા સાથે શપથ લીધા

નવી દિલ્હી, બ્રિટિશ સામાન્ય ચૂંટણીઓમાં કીર સ્ટારમરની લેબર પાર્ટીએ જંગી જીત મેળવી છે. ૧૪ વર્ષ સુધી વિપક્ષમાં બેસીને લેબર પાર્ટી ફરી સત્તામાં આવી છે. શિવાની રાજા આ ચૂંટણીમાં ઘણી ચર્ચામાં રહી હતી.

શિવાની રાજાએ લેસ્ટર ઈસ્ટ સીટ પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત હાંસલ કરી, આ સીટ પર લેબરના ૩૭ વર્ષના વર્ચસ્વનો અંત લાવ્યો. તે ભારતીય મૂળના લેબર ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડી રહી હતી.

શિવાની રાજાએ બ્રિટિશ સંસદમાં ભગવત ગીતા હાથમાં લઈને શપથ લીધા છે.બ્રિટિશ સાંસદ તરીકે શપથ લીધા બાદ શિવાની રાજાએ ઠ પર લખ્યું કે લેસ્ટર ઈસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે સંસદમાં શપથ લેવું સન્માનની વાત છે. હિઝ મેજેસ્ટી કિંગ ચાર્લ્સ પ્રત્યેની નિષ્ઠાનાં શપથ લેવા બદલ મને ગીતા પર ખરેખર ગર્વ છે.

શિવાનીની જીત લેસ્ટર સિટીના તાજેતરના ઇતિહાસને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ છે, જ્યાં ૨૦૨૨ માં ભારત વિરુદ્ધ પાકિસ્તાન ્‌૨૦ એશિયા કપ મેચ પછી ભારતીય હિન્દુ સમુદાય અને મુસ્લિમો વચ્ચે અથડામણ થઈ હતી.શિવાની રાજાએ ચૂંટણીમાં ૧૪,૫૨૬ મત મેળવ્યા હતા, જેણે લંડનના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલને હરાવ્યા હતા, જેમણે ૧૦,૧૦૦ મત મેળવ્યા હતા.

આ જીત એટલા માટે પણ મહત્વની હતી કારણ કે લેસ્ટર ઈસ્ટ ૧૯૮૭ થી લેબર ગઢ છે. શિવાનીની જીત ૩૭ વર્ષમાં પ્રથમ વખત છે કે જ્યારે કોઈ ટોરી મતવિસ્તારમાં ચૂંટાયા હોય.યુકેમાં ૪ જુલાઈએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શિવાની રાજા ઉપરાંત ૨૭ અન્ય ભારતીય મૂળના સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા છે.

દરમિયાન, બ્રિટિશ ચૂંટણીમાં લેબર પાર્ટી સત્તા પર આવ્યા બાદ સેંકડો નવા ચૂંટાયેલા સાંસદો ઉત્સાહપૂર્વક સંસદમાં પહોંચ્યા હતા. નવા હાઉસ ઓફ કોમન્સમાં અત્યાર સુધી ચૂંટાયેલી મહિલાઓની સંખ્યા સૌથી વધુ ૨૬૩ છે, જે કુલ સંખ્યાના લગભગ ૪૦ ટકા છે, જેમાંથી મહત્તમ ૯૦ અશ્વેત સાંસદો છે.

કિઅર સ્ટારર બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. તેમણે બ્રિટનને પુનઃનિર્માણ કરવાનું વચન આપ્યું છે. લેબર પાર્ટીએ ૬૫૦ સભ્યોની હાઉસ ઓફ કોમન્સમાં ૪૧૨ બેઠકો મેળવી છે, જે ૨૦૧૯ની છેલ્લી ચૂંટણી કરતાં ૨૧૧ વધુ છે.

જ્યારે ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર ૧૨૧ બેઠકો મળી છે, જે ગત ચૂંટણી કરતાં ૨૫૦ બેઠકો ઓછી છે. લેબર પાર્ટીનો વોટ શેર ૩૩.૭ ટકા હતો જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીનો વોટ શેર ૨૩.૭ ટકા હતો.પૂર્વ બ્રિટિશ પીએમ ઋષિ સુનક તેમના વિદાય ભાષણમાં ભાવુક થઈ ગયા હતા, તેમણે તેમના નેતૃત્વવાળી પાર્ટીને કારમી હાર આપનારા મતદારોની માફી માંગી હતી અને કહ્યું હતું કે માત્ર તમારો નિર્ણય મહત્વનો છે. મેં તમારો ગુસ્સો, તમારી નિરાશા સાંભળી છે અને હું આ હારની જવાબદારી લઉં છું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.