Western Times News

Gujarati News

કોંગ્રેસ વિપક્ષ તરીકે નિષ્ફળ, તેનો મહત્તમ સમય આંતરિક કલહમાં જાય છેઃ મોદી

ચંદીગઢ, હરિયાણામાં ૫ ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી પહેલા જનતાએ ભાજપને વધુ એક તક આપવાનું નક્કી કરી દીધું હોવાનો દાવો કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે છેલ્લાં દસ વર્ષમાં કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ નિષ્ફળ રહી છે. તે મોટાભાગનો સમય ઝઘડામાં વિતાવે છે અને સત્તા મેળવવા માટે જૂઠ્ઠાણા પર આધાર રાખે છે. કોંગ્રેસ જૂઠું બોલવામાં નિષ્ણાત છે, પરંતુ ‘રાજા હરિશ્ચંદ્ર’નું માસ્ક પહેરે છે.

ભાજપના “મેરા બૂથ, સબસે મજબૂત” કાર્યક્રમના ભાગરૂપે નમો એપ દ્વારા હરિયાણા ભાજપના કાર્યકરો સાથે વાતચીત કરતાં મોદીએ ચૂંટણીના દિવસે બૂથ સ્તરે ફિલ્ડવર્કની ચર્ચા કરી હતી અને દરેક બૂથ જીતવા માટે ખૂબ જ પ્રયત્નો કરવા અનુરોધ કર્યાે હતો. તેમણે જણાવ્યું હતું કે મતદાનને હવે એક અઠવાડિયું બાકી છે.

તમારે મતદાન મથકના દરેક પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ છેલ્લા ૧૦ વર્ષાેમાં વિપક્ષ તરીકે નિષ્ફળ રહી છે. તેનો મહત્તમ સમય આંતરકલહમાં જાય છે.

હરિયાણામાં દરેક બાળક કોંગ્રેસના આંતરિક ઝઘડાથી વાકેફ છે. હાલના દિવસોમાં કોંગ્રેસના લાઉડસ્પીકર જે પહેલા મોટા દાવાઓ કરતા હતાં તે નબળા પડી ગયા છે. કેટલાક કહે છે કે કોંગ્રેસ દરરોજ નબળી પડી રહી છે.પરંતુ આપણી વ્યૂહરચના તેમનો આંતરિક કલહ જોઇને બેસી રહેવાની ન હોવી જોઇએ.

કોંગ્રેસ મરવાની છે, પરંતુ આપણે પહેલા કરતા વધુ મહેનત કરીને આપણો ધ્વજ ઊંડો રોપવો પડશે. જે લોકો ચૂંટણીમાં આપણી સામે લડી રહ્યા છે, તેમનો સમગ્ર આધાર જુઠ્ઠાણા છે. તેઓ વારંવાર જુઠ્ઠું બોલે છે, તેમની વાતો ઢંગધડા વગરની હોય છે અને તેઓ વાતાવરણને દુષિત કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.