Western Times News

Gujarati News

છેલ્લા એક વર્ષમાં ૧૬૯૪૫ પશુ પક્ષીઓને સ્થળ પર જ  યોગ્ય સારવાર આપી નવજીવન મળ્યું

બિનવારસી પશુ- પક્ષીઓ માટે આર્શીવાદ રૂપી  કાર્યરત ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ  અમદાવાદમા ફાળવેલી ત્રણ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ  ને ૭ વર્ષ પૂર્ણ

ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ નાં સંયુક્ત ઉપક્રમે કાર્યરત ૧૯૬૨ કરુણા  એનિમલ એમ્બ્યુલન્સ   ૭ વર્ષ પૂર્ણ. ૧૯૬૨ સેવા  બિનવારસી પશુ પક્ષીઓ  માટે આર્શીવાદ રૂપ છે. ૭ વર્ષ સફલતા ના પૂર્ણ થતા ટીમ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે  ૧૯૬૨ ની આ નિઃશુલ્ક સેવા દ્વારા છેલ્લા ૧ વર્ષમાં ૧૬૯૪૫ પશુ પક્ષીઓને નવું જીવન આપવામાં આવ્યું છે.

૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા પશુઓના  રૂમેનોટોમી, સીજેરિયન તથા એકસીડન્ટમાં ઘવાયેલ પશુઓના  જટિલ ઓપરેશન પણ કરવામાં આવ્યા છે.

શ્વાન – ૧૩૩૪૯

ગાય – ૨૬૪

બિલાડી – ૨૧૨૩

બંદર – ૩

પોપટ – ૪૫

ખિસકોલી – ૧૭

કબૂતર – ૯૪૩

ચકલી – ૨૧

ઊંટ -૬

સસલા -૧૦

અન્ય – ૧૬૪

આમ કુલ મળીને છેલ્લા એક વર્ષમાં ૧૬૯૪૫ પશુ પક્ષીઓને સ્થળ પર જ  યોગ્ય સારવાર આપવામાં આવી છે. તેમજ ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત ડૉ. રીનકલ ઠાકોર, ડૉ.જીગર‌ રાઠોઙ, ડૉ.મીત ઙોઙીયા અને એમના ટીમ દ્વારા પશુ પક્ષીઓને  સમયસર સારવાર પૂરી પાડવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.