ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે. જે. પટેલે કર્તવ્ય ધર્મ અદા કરીને તુર્કીયોનો બહીષ્કાર કરવા અપીલ !

…પણ બાર કાઉન્સિલ સામે પણ સવાલો ઉઠાવતા વકીલો ?!
“આપણાં વ્યવસાયમાં “સત્ય” ની ઉણપ છે – ચીફ જસ્ટીસ સંજીવ ખન્ના”!!
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલે પાકિસ્તાનને ઓપરેશન સિંદુર વિરૂધ્ધ મદદ કરતા તુર્કીયોનો બહિષ્કાર કરવા અને ત્યાંની મુલાકાત ટાળવા અપીલ કરતા મુદ્દો ટોક ઓફ ધી બાર બન્યો !!
ગુજરાત બાર કાઉન્સિલને સુપ્રિમ કોર્ટે આપેલ દિશા નિર્દેશ પછી મહિલા ધારાશાસ્ત્રીઓ માટે બાર કાઉન્સિલ ૩૩ ટકા મહિલાઓ માટે અનામતની જોગવાઈ કરશે ?!
તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની છે ! ગુજરાત બાર કાઉન્સિલ દેશના વ્યાપક હિતમાં રાજકીય સૈધ્ધાંતિક અવાજ ઉઠાવે છે તે સારી બાબત છે !
પરંતુ સોફિયા કુરેશી સામે ભા.જ.પ.ના મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહની આંતકવાદીઓની બહેન કહી સમગ્ર સેનાનું અપમાન કર્યુ છે ! અને ભા.જ.પ.ની આબરૂના ધજાગરા ઉડાડયા છે ! એટલું જ નહીં ડેપ્યુટી સીમ શ્રી જગદીશ દેવડાએ પણ સેનાનું અપમાન કરતું નિવેદન કરી સૈનિકો પી.એમ.ના ચરણોમાં નતમસ્તક છે કહેતાં ઉગ્ર વિરોધ થયેલો છે !
ત્યારે ગુજરાત બાર કાઉÂન્સલે રાજકારણથી ઉપર ઉઠીને દિશા નિર્દેશ કરવો જાઈએ ! મુદ્દો દેશની સુપ્રિમ કોર્ટ સુધી જાય એ સારૂ લાગે છે ?! અત્રે એ નોંધનીય છે કે, સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી સંજીવ ખન્નાએ નિવૃત્ત થતા આપેલા નિવેદનમાં કહ્યું છે કે, “આપણાં વ્યવસાયમાં સત્યની ઉણપ છે ! સૌ પ્રથમ ન્યાયાધીશ સત્ય શોધક છે “સત્ય” એ જ ભગવાન છે અને આ આદર્શનું પાલન થવું જોઈએ” !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા )
એપલ કોમ્પ્યુટર અને પીક્ષાર કંપનીના મીસ્ટર સ્ટીવ જોબસે જણાવ્યું છે કે, “પ્રત્યેક દિવસ તમારા જીવનનો અંતિમ દિવસ છે, એમ સમજીને જીવો તો એક દિવસ એવો આવશે કે તમે અવશ્ય સાચા પડશો”!! આપણાં દેશમાં ન્યાયાધીશ મીસ એમ. એસ. રોહિલાને પણ સુપ્રિમ કોર્ટમાંથી ૧૧ વર્ષે ન્યાય મળ્યો હતો ! સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી બીજેન્દ્ર જૈન, જસ્ટીસ શ્રી એ. કે. સિક્રી અને જસ્ટીસ શ્રી બી. એન. ચતુર્વેદીની બનેલી બેન્ચે મહિલા ન્યાયાધીશને ૧૧ વર્ષે ન્યાય આપ્યો હતો ! અને તેમનું પ્રમોશન ગ્રાહ્ય રાખ્યું હતું !
મહિલાઓને આઝાદીના ૭૫ વર્ષ પછી પણ પુરૂષ પ્રધાન સમાજમાં મહિલા વકીલોએ ન્યાય લેવા સુપ્રિમમાં જવું પડયું તો આ કામ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે કેમ ના કર્યું ?! બાર કાઉન્સિલના સભ્યો મહિલા વકીલોના મતો લેવા આગળ પાછળ ફરતા હોય છે આવું કેમ ?!
ભારતની સુપ્રિમ કોર્ટે મહિલાઓને લશ્કરમાં યોગ્ય પદ ઉપર નિમણૂંક કરતો અને કેન્દ્ર સરકારની દલીલો ફગાવી ચૂકાદો આપ્યો છે ! ત્યાર પછી તાજેતરમાં મહિલા ધારાશાસ્ત્રીઓની તરફેણમાં ચૂકાદો આપતા સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી સૂર્યકાંત, જસ્ટીસ શ્રી એન. કોટેશ્વર સિંહની ખંડપીઠે ચૂકાદો આપતા એવું ઠરાવ્યું છે કે, વકીલ બાર એસોસીએશનમાં ખજાનચી પદ અને ૩૦ ટકા કારોબારી પદ માટે હવેની ચૂંટણીમાં અનામત રહેશે !
આ જોતાં બંધારણની કલમ-૧૪ નું અર્થઘટન કરતા સુપ્રિમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે ! ત્યારે અત્યાર સુધી મહિલા વકીલોના મતોથી વકીલ મંડળમાં ચૂંટાતા પ્રમુખો અને અન્ય હોદ્દેદારોએ આ સુધારો કેમ ન કર્યાે ?! સુપ્રિમ કોર્ટે હવે પછી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અંગે પણ અવલોકન કરી ચૂકાદો આપશે !
ત્યારે આવા સંજોગોમાં ગુજરાત બાર કાઉÂન્સલે અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ જાતે મહિલા વકીલો માટે બાર કાઉન્સિલમાં ૩૩ ટકા અનામત સીટો ઠરાવ કરી મંજુર કરવી જોઈએ ! ગુજરાત બાર કાઉન્સિલ આ કેમ નથી કરતી ?! અલબત એવું બની શકે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મહિલાઓ માટે ૩૩ ટકા સીટો અનામત થાય તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું રાજકારણ બદલાઈ જાય !
અને આ સુધારો થાય તો મહિલા ધારાશાસ્ત્રીઓ મહિલા ઉમેદવારને મત આપી શકે એવો નિર્ણય લેવાય તો જ આ હેતુ સરી શકે ! અને સમરસ પેનલનું રાજકારણ પણ મહદઅંશે બ્રેક વાગી શકે ! માટે તો ગુજરાત બાર કાઉન્સિલ મહિલા વકીલો માટે કશું કરતી નથી એવું મહિલા વકીલોમાં આ મુદ્દો સુપ્રિમ કોર્ટના ચૂકાદા પછી ટોક ઓફ ધી બારનો મુદ્દો બન્યો છે !
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલે પાકિસ્તાનને ઓપરેશન સિંદુર વિરૂધ્ધ મદદ કરતા તુર્કીયોનો બહિષ્કાર કરવા અને ત્યાંની મુલાકાત ટાળવા અપીલ કરતા મુદ્દો ટોક ઓફ ધી બાર બન્યો !!
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલે નિર્દાેષ હિન્દુ નાગરિકોના ધર્મ પુછી હત્યા કરનાર પાકિસ્તાન પ્રેરિત આંતકવાદીઓનો સફોયો કરવા ઓપરેશન સિંદુર હાથ ધરાયું ત્યારે તુર્કીયે પાકિસ્તાનને સમર્થન કર્યું હતું ! આથી દેશના નાગરિકોને વકીલોને તુર્કી રાષ્ટ્રની મુલાકાત ન લેવા, ત્યાં ફરવા ન જવા અપીલ કરીને ભારત વિરોધીઓને પાઠ ભણાવવા અપીલ કરી છે ! જેને સમગ્ર વકીલ આલમમાંથી આવકાર મળ્યો છે !
ભારતમાં તુર્કીયોનો બહિષ્કારનો વટોળ ફેલાયો છે ! તેવા સમયે અમેરિકાએ ૨૨.૫ કરોડ ડોલરની મિસાઈલનો સોદો તુર્કીય સાથે કર્યાે છે તો ગુજરાત બાર કાઉન્સિલ હવે અમેરિકા વિરૂધ્ધ પણ ઠરાવ કરીને ટ્રમ્પને તેની જાણ કરવાની હિંમત દાખવવી જોઈએ ! અમેરિકાએ હવામાં પ્રહાર કરતી મિસાઈલ એ.આઈ.એમ. ૧૨૦- સી-૮ ને વેચવાની મંજુરી આપી છે ! કાલે આ મિસાઈલ ખરીદી તુર્કીયે પાકિસ્તાનને આપશે તેનું શું ?! ગુજરાત બાર કાઉÂન્સલે આ અંગે ઠરાવ કરી કેન્દ્ર સરકારને ટ્રમ્પની નિતિની ઝાટકણી કાઢવા કહેવું જોઈએ !!