“સિયાવર રામચંદ્ર કી જય”ના નાદથી ગુંજી ઉઠી અયોધ્યાનગરી: રામ દરબાર અને અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા

પ્રતિકાત્મક
જયપુરમાં સફેદ આરસપહાણમાં કોતરેલી લગભગ ૫ ફૂટની રામ પ્રતિમા રામ દરબારનો એક ભાગ છે, જેમાં સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને હનુમાનની મૂર્તિઓ પણ હશે.
આજથી તારીખ ૫ જૂન સુધી વિશેષ અનુષ્ઠાનઃ શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામ દરબાર અને અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા થશે
૨૩ મે અને ૫ જૂનના પોતાના શુભ ગ્રહોની ગોઠવણી છે, તેથી ૨૩ મેના રોજ સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ત્યારબાદ ૫ જૂને પૂજા પછી ૬ જૂને રામ દરબાર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અયોધ્યા, અયોધ્યા નગરીમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ૧૬ મહિના પછી અયોધ્યામાં સંપૂર્ણ રીતે બંધાયેલા ભવ્ય રામ મંદિરની બીજી પ્રાણ પ્રતિષ્ઠા અને અભિષેક સમારોહની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ગયા વર્ષે લોકસભા ચૂંટણી પહેલા ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ૨૨ જાન્યુઆરીએ કરવામાં આવી હતી. The divine, gold-adorned shikhar and the newly constructed first floor of the Shri Ram Janmabhoomi Mandir
આ કાર્યક્રમમાં ૮૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેના મુખ્ય મહેમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા. આ વખતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. Ayodhya — A stunning gold-plated Shikhara now crowns the Ram Temple ahead of the June 3rd Pran Pratishtha ceremony of the Ram Darbar
સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી અયોધ્યામાં રામ મંદિર ભવન નિર્માણ સમિતિની રચના કરવામાં આવી હતી. તેનું સંચાલન પ્રધાનમંત્રીના ભૂતપૂર્વ મુખ્ય સચિવ નળપેન્દ્ર મિશ્રા કરી રહ્યા છે. રામ મંદિરના પહેલા માળે રાજા રામનો દરબાર હશે. અહીં બધા દરવાજા સ્થાપિત કરવામાં આવ્યા છે. કિલ્લાની મધ્યમાં બનેલા છ પૂરક મંદિરો અને સપ્ત ઋષિઓના સાત મંદિરોમાં દરવાજા સ્થાપિત કરવાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે.
શિવ મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિના ૨.૭૭ એકર પર બનેલા રામ મંદિરના પહેલા માળે ભગવાન શ્રી રામ, માતા જાનકી અને તેમના ત્રણ નાના ભાઈઓ અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. તેની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. પૂર્વથી પヘમિમાં તેની લંબાઈ ૩૮૦ ફૂટ, પહોળાઈ ૨૫૦ ફૂટ અને ઊંચાઈ ૧૬૧ ફૂટ છે. તેમાં કુલ ૩૯૨ સ્તંભો અને ૪૪ દરવાજા છે.
૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે મુહૂર્ત કાશીના વિદ્વાન પંડિતો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે માટેનું મુહૂર્ત અયોધ્યાના વિદ્વાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અયોધ્યાના પ્રખ્યાત આચાર્યો, પંડિત પ્રદીપ શર્મા, આચાર્ય રાકેશ તિવારી અને આચાર્ય રઘુનાથ દાસ શાષાીએ પ્રાણ પ્રતિષ્ઠા માટે મુહૂર્ત નક્કી કર્યું છે. ગંગા દશેરા પણ ૫ જૂને છે. એવું માનવામાં આવે છે કે, દ્વાપર યુગ ગંગા દશેરાથી શરૂ થાય છે. રામેશ્વરમની સ્થાપના પણ આ દિવસે થઈ હતી.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વાતાવરણ ભક્તિમય બન્યું છે. મુખ્ય મંદિર તેમજ રામ મંદિર સંકુલના અન્ય ૭ મંદિરોમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આ ૮ મંદિરોને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. બહારના ભાગો ઇલેક્ટ્રિક શણગારથી ઝગમગી રહ્યા છે.
સોનાથી જડિત શિખર કળશ ઝળહળી રહ્યો છે. તે જ સમયે આજે સવારે ૬.૩૦ વાગ્યાથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આ પૂજા આગામી ૧૨ કલાક સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ૧૦૧ પુજારીઓ ૧૯૭૫ મંત્રોનો પાઠ કરશે. અગ્નિ દેવતાને આહુતિ અર્પણ કરવામાં આવશે. ઉપરાંત, મૂર્તિઓના શુદ્ધિકરણની વિધિ પણ પૂર્ણ થઈ રહી છે. બુધવારે પણ, પૂજા વિધિ એ જ રીતે પૂર્ણ થશે.
રામ મંદિરમાં વિધિના ભાગ રૂપે રામ રક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા અને અન્ય ભક્તિ સ્તોત્રોનો પાઠ કરવામાં આવી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાનો મુખ્ય સમારોહ ૫ જૂને યોજાશે. આમાં રામ દરબાર (શ્રી રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન) ની પ્રાણ પ્રતિષ્ઠા સાથે, સાત અન્ય મંદિરોમાં મૂર્તિઓ સ્થાપિત થવાની છે. આ માટે સવારથી જ તમામ મંદિરોમાં મૂર્તિઓના શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
અયોધ્યા નગરીમાં આજથી શ્રી રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થઈ છે. શ્રી રામ જન્મભૂમિ ખાતે ૩ જૂને સવારે ૬.૩૦ વાગ્યે બીજો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શરૂ થયો છે. ૩ જૂનથી શરૂ થઈને ૫ જૂન સુધી ચાલુ રહેનારા આ સમારોહમાં રામ જન્મભૂમિના પહેલા માળે આવેલા રામ દરબારના આઠ મંદિરો, પરકોટા, શિવલિંગ, ગણપતિ, હનુમાન, સૂર્ય, ભગવતી અને અન્નપૂર્ણાના છ મંદિરો, શેષાવતાર મંદિર સહિત દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામ મંદિરને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું છે.
૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ભગવાન શ્રી રામને બાલક રામ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા. હવે બીજી પ્રાણ પ્રતિષ્ઠામાં ભગવાન રામને રાજા તરીકે સ્થાપિત કરવામાં આવશે. રામ મંદિરના પહેલા માળે રાજા રામનો દરબાર હશે. આ દરબારમાં ભગવાન રામ તેમના નાના ભાઈ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, માતા જાનકી અને સેવક હનુમાન સાથે હાજર રહેશે. અયોધ્યા પહોંચતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામલલાના દર્શન કર્યા પછી ભક્તો રાજા રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહિત છે.
ત્રિદિવસીય સમારોહમાં મંગળવાર અને બુધવારે સવારે ૬.૩૦ કલાકથી ૧૨ કલાક સુધી પૂજા-અનુષ્ઠાન થશે. જેમાં ૧૯૭૮ મંત્રોની સાથે અગ્નિ દેવતાને આહુતિ આપવામાં આવશે. તેમજ રામરક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા તથા અન્ય ભક્તિ ભજનોનો પાઠ કરવામાં આવશે. મુખ્ય સમારોહ ૫ જૂને થશે. જેમાં રામ દરબાર (શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન)ની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે સાત અન્ય મંદિરોમાં દેવ પ્રતિમાની સ્થાપના થશે.
રામ જન્મભૂમિમાં બીજા પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે પંચાગ પૂજન, મંડપ પ્રવેશ, યજ્ઞ મંડપ પૂજન, ગ્રહ યોગ, અગ્નિસ્થાપન, વન, કર્મ કુટી, જળાધિવાસ અનુષ્ઠાન થશે. શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં રામ દરબાર સહિત તમામ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓના શુદ્ધિકરણની પ્રક્રિયાનો આજે સવારથી આરંભ થયો હતો.૫ જૂને થનારો મુખ્ય સમારોહ ઐતિહાસિક હશે. આ દિવસે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે સાત અન્ય મંદિરોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા થશે.
સુરક્ષા વ્યવસ્થા અંગે SSP ડો. ગૌરવ ગ્રોવરે જણાવ્યું હતું કે, રામનગરી સંપૂર્ણ સુરક્ષાથી ભરેલી છે. તમામ કાર્યક્રમ સ્થળોએ વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે. આ સાથે દર્શન માટે અયોધ્યા આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેની પણ કાળજી લેવામાં આવી રહી છે.
રાજા રામની સાથે સાત અન્ય ઉપ-મંદિરોમાં સ્થાપિત મૂર્તિઓનું પણ અભિષેક કરવામાં આવશે. આમાં કિલ્લાના ઉત્તર-પૂર્વ ખૂણામાં શિવલિંગ, અગ્નિ ખૂણામાં પ્રથમ પૂજા પામેલા શ્રી ગણેશ, દક્ષિણ હાથની મધ્યમાં મહાબલી હનુમાન, દક્ષિણ-પヘમિ ખૂણામાં દૃશ્યમાન દેવ સૂર્ય, ઉત્તર-પヘમિ ખૂણામાં મા ભગવતી અને ઉત્તર હાથની મધ્યમાં અન્નપૂર્ણા માતાની મૂર્તિનું અભિષેક કરવામાં આવશે. આ સાથે મુખ્ય મંદિરના પહેલા માળે રામ દરબાર અને કિલ્લાના દક્ષિણ-પヘમિ ખૂણામાં શેષાવતાર મૂર્તિનું અભિષેક કરવામાં આવશે.
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કયા વિધિઓ અને કાર્યક્રમો ?
૨ જૂનના રોજ માતળ શક્તિ જળ કળશ યાત્રા સરયુ નદીના કિનારેથી શરૂ થઈ હતી. કળશ યાત્રાના બીજા દિવસે ૩ જૂન, જ્યેષ્ઠ શુક્લ અષ્ટમીથી શરૂ થતી ત્રણ દિવસીય ઘટના, ૫ જૂન, દશમીના રોજ પૂજા, ભોગ અને આરતી સાથે સમાપ્ત થશે. આ વિધિઓ ૫ જૂનના રોજ સવારે ૬.૩૦ વાગ્યે શરૂ થશે અને ૧૧.૨૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. અભિજીત મુહૂર્ત સવારે ૧૧.૨૫ થી ૧૧.૪૦ વાગ્યા સુધી છે. આ અભિજીત મુહૂર્તમાં રાજા રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
ચંદૌલીના મહાન વિદ્વાન પંડિત, પંડિત જયપ્રકાશ તિવારી, ૧૦૧ વૈદિક આચાર્યો સાથે મળીને આઠેય મંદિરોમાં દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા એક સાથે કરશે.