ગુજરાતના આ ગામના ખેડૂતોને બેન્કે 152 મુજબ નોટિસો પાઠવતાં વિવાદ ઉઠ્યો

AI Image
ખંભાતના મીતલી ગામે ખેડૂતો સાથે અન્યાય થયો હોવાનું સામે આવ્યુ
(એજન્સી)ખંભાત, ખંભાતના મીતલી ગામે ખેડૂતો સાથે અન્યાય થયો હોવાનું સામે આવ્યુ છે. બેન્કે ખેડૂતોને ૧૫૨ મુજબ નોટિસો પાઠવી છે. બેન્કે ખેડૂતો પાસે રિકવરી કરતા આ વિવાદ ઉઠ્યો છે. લોન ભરનાર, જમીન ન ધરાવનાર ખેડૂતો પાસે રિકવરી કરવામાં આવી રહી છે. આ વસૂલાતના કારણે ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવ્યો છે.
પોલીસ આ મામલે કોઇ એક્શન લે તે જરુરી છે. તેવી માગ ખેડૂતોએ કરી છે. લોનની ભરપાઇ કરી હોવા છતા ખેડૂતોને નોટિસ પાઠવવામાં આવી રહી છે. ત્યારે હેરાનગતિ શાંત કરવામાં આવે તેવી રજૂઆત ખેડૂતોએ કરી છે. કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસ ચાલી રહ્યો હોવા છતાં વસૂલાત કરવામાં આવી રહી છે. વસૂલાત કરવા માટે પહોંચેલા લોકો વિરુદ્ધ ખેડૂતોએ પોતાનો રોષ દર્શાવ્યો હતો.
ખેડૂતો પાસે નાણાં ભરેલા પાવતીઓ છે. ચેકિંગની વિગતો પણ છે. કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં વસૂલાત થઇ રહી છે. આ તમામ બાબતો ખેડૂતોએ જણાવી હતી. જમીન ન ધરાવનાર વૃદ્ધાને ૩.૬૫ લાખ વસૂલાતની નોટિસ ફટકારવામાં આવી છે. પુરાવાના અભાવ સાથે વસૂલાત માટે પહોંચતા ખેડૂતોએ ઉગ્ર રોષ બતાવ્યો હતો.