Western Times News

Gujarati News

ધારાસભ્યો દ્વારા વિજળી અંગે રજૂ કરાયેલા પ્રશ્નોને સત્વરે ઉકેલ લાવવા ઉર્જામંત્રીની અધિકારીઓને સૂચના

નાણાંઊર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સાંસદસભ્યશ્રી અને ધારાસભ્યશ્રીઓ સાથેની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ

Ahmedabad, ગાંધીનગર ખાતે નાણાઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સ્થાયી પરામર્શ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં શ્રી કનુભાઈ દેસાઈએ સૌ સાંસદસભ્ય-ધારાસભ્યશ્રીઓનો આભાર માન્યો હતો સાથોસાથ તમામ ખાતાના વડાઓનો આભાર માનતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કેસમયાંતરે યોજાતી સ્થાયી પરામર્શ સમિતિની બેઠકના પરિણામે પડતર પ્રશ્નોનો સત્વરે નિકાલ આવે છે.

ગત બેઠક દરમિયાન ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા મોટાભાગના પ્રશ્નોનો સુયોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. બેઠકમાં ઉપસ્થિત રહેતા સાંસદસભ્ય – ધારાસભ્યશ્રીઓના સૂચનોથી પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સરળતા રહે છે.

વધુમાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એ નાણાં તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલ પ્રજાલક્ષી-નિર્ણયો અને કામગીરીથી ધારાસભ્યશ્રીઓને માહિતગાર કર્યા હતા  પ્રજાલક્ષી મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે સ્ટેમ્પ ડ્યુટી તેમજ GSTમા ઘણા બધા પ્રજાલક્ષી સુધારાઓ કરવામાં આવ્યા છે. ઈ વ્હીકલ તથા મેક્સી કેટેગરીના પેસેન્જર વાહનમાં વેરાના દરમાં ઘટાડો કરેલ છે.

રાજ્યના ખેડૂતોના વીજ બિલમાં ફિક્સ ચાર્જમાં ઘટાડો કરવામાં આવેલ છે રાજ્યના ૯૮% ગામોના ખેડૂતોને દિવસે વીજળી મળી રહેલ છે. ૭-૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીક હોય તો વીજ જોડાણ મેળવવા માટે સહમાલીકની સંમતિની હવેથી જરૂર રહેશે નહીં તેના બદલે અરજદાર દ્વારા નોટરાઈઝ્ડ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે તેવો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવેલ છે.  તદુપરાંત  ૭-૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીકના નામ હોય તો દરેક સહમાલીકને તે સર્વે નંબર/જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે.

રાજ્યના વીજ ગ્રાહકોના હિતમાં  ફ્યુઅલ ચાર્જમાં કરવામાં આવેલ ઘટાડાને કારણે વીજ ગ્રાહકોને વીજ બિલમાં રૂ.૧૯૦૦ કરોડથી વધુની રાહત મળેલ છે. તદુપરાંત ગામતળની બહારના વિસ્તારમાં રહેણાક હેતુના સિંગલ ફેજ વીજ જોડાણ માટે ખેતીવાડી ફીડર પરથી હવે 3 KWના બદલે ૬ KW સુધીનું સિંગલ ફેજનું વીજ જોડાણ વાસ્તવિક ખર્ચ ને બદલે ફિક્સ ચાર્જમાં મળી શકશે. જેમાં નોન – ટ્રાયબલ વિસ્તારમાં જૂથમાં આવેલા ૧૫ મકાનોને બદલે જૂથમાં આવેલા ૧૦ મકાનો હોય તો પણ જ્યોતિગ્રામ ફીડર પરથી વાસ્તવિક ખર્ચને બદલે ફિક્સ ચાર્જમાં વીજ જોડાણ આપવાનો નિર્ણય કરેલ છે.

કુટીર જ્યોતિ યોજના અંતર્ગત જૂના માપદંડમાં લાભાર્થીના ઘર હળવા દબાણની વીજ રેષાથી ૧૦૦ મીટરની  અંદર આવેલા હોય તો જ યોજનાનો લાભ મળતો હતો આ યોજનાના માપદંડમાં સુધારા કરવાની રજૂઆતો રાજ્ય સરકારને મળેલ જેને ધ્યાને લઈ રાજ્ય સરકારના ઊર્જા વિભાગ દ્વારા હળવા દબાણની વીજ રેષાથી ૧૦૦ મીટરથી દૂર આવેલા લાભાર્થીઓને પણ આવરી લેવામાં આવેલ છે. 

અગાઉ લો-ટેન્શન કેટેગરીના જોડાણ માટે વીજભારની મર્યાદા ૧૦૦ KW હતીજે હવે વધારીને ૧૫૦ KW કરવામાં આવી છે. હાઇ ટેન્શન કેટેગરીના વીજ જોડાણ માટે ઉધ્યોગકારે પોતાની માલિકીનું ટ્રાન્સફોર્મર મૂકવાનું થતું હતું. જેના કારણે ટ્રાન્સફોર્મરનો ખર્ચ ઉધ્યોગકારે કરવાનો થતો હતો અને એના માટે જરૂરી જમીન પણ ઓછી પડતી હતી. આ નિર્ણયને કારણે આ સમસ્યાઓનું નિવારણ થયેલ છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કેરાજ્યમાં વિવિધ કારણોસર વીજળી ખોરવાય તેવા પ્રસંગો આવે છે. આવા પ્રસંગોએ વીજળી પુન:કાર્યરત થઇ શકે તે માટે રાજ્ય સરકાર આકસ્મિક સેવા પણ ટૂંક સમયમાં શરુ કરશે. જે રીતે હેલ્થ ઈમરન્સી સમયે લોકો ૧૦૮ નંબરથી એમ્બ્યુલન્સ આવે છેતેવી જ રીતે ટોલ ફ્રી નંબરથી વીજળી પુન:કાર્યરત કરવા પણ ટીમ ઘટના સ્થળે પહોંચશે. આ અદ્યતન મોડલ અત્યારે તૈયાર થઇ રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના નાગરીકો પોતાના વીજ પ્રશ્નો પણ ખુબ જ સરળતાથી ઓનલાઈન રજીસ્ટર કરી શકશે.

આ બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરસાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી,  ગોધરાના ધારાસભ્ય શ્રી સી. કે. રાઉલજીમાંજલપુરના ધારાસભ્ય શ્રી યોગેશ પટેલ¸ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલઅને સોમનાથના ધારાસભ્ય શ્રી વિમલ ચુડાસમા દ્વારા વીજ પોલખેડૂતોના વળતરનવા સબ-સ્ટેશન કાર્યરત કરવાઅન્ડરલાઈન કેબલ લાઈનવીજ ચોરીસ્માર્ટ મીટરજ્યોતિ ગ્રામ યોજનાખેડૂતોને અપાતા વીજ કનેક્શન સહિત GIDCમાં વીજ પુરવઠો પૂરો પાડવા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

બેઠક દરમિયાન ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને હકારાત્મક વાચા આપતા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવશ્રીનાણાં વિભાગના સચિવશ્રીઓગુજરાત ગેસ પેટ્રોલીયમ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેક્ટરશ્રીગુજરાત ઊર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટરશ્રીજીએસટી કમિશનરશ્રીનાણા વિભાગના અધિક સચિવશ્રી, UGVCL, PGVCL, DGVCL, MGVCL અને GETCOના મેનેજીંગ ડીરેક્ટરશ્રીનાણાં અને ઊર્જા વિભાગના નાયબ સચિવશ્રીઓ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.