દિવાળીમાં ચાંદી ચમકશેઃ ભાવ ૧.૩૦ લાખને પાર કરે તેવી શક્યતા

ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ એક લાખ રૂપિયાને પાર કરી ગયા છેઃ ચળકી રહી છે ચાંદી
નવી દિલ્હી, આ દિવાળી સુધીમાં ચાંદીના ભાવ – કિલોના ૧.૩૦ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ અંદાજ માત્ર રોકાણકારો માટે જ નહીં પરંતુ સામાન્ય લોકો માટે પણ એક મોટો સંકેત છે.
કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય સુરેશ કેડિયાના મતે, દિવાળી સુધીમાં ચાંદીના ભાવમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે. ચાંદીનો ભાવ ૧ લાખ ૨૫ હજારથી ૧ લાખ ૩૦ હજાર રૂપિયા સુધી જઈ શકે છે. તેમણે વૈશ્વિક બજારમાં ટેકનિકલ બ્રેકઆઉટને આ પાછળનું સૌથી મોટું કારણ ગણાવ્યું છે. ઉપરાંત, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ ઼૩૭ -તિ ઔંસના સ્તરે પહોંચ્યો છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે.
આ સાથે, અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવમાં ઘટાડો થવાથી ઔદ્યોગિક માંગમાં વધારો થયો છે. ચાંદીનો ઉપયોગ સ્વચ્છ ઉર્જા, ૫G ટેકનોલોજી અને ઇલેક્ટ્રિક વાહનો (EVs) જેવા ઔદ્યોગિક ક્ષેત્રોમાં ૫૩-૫૬્રુ સુધી થાય છે, જેના કારણે તેની માંગ સતત વધી રહી છે.
અજય કેડિયાએ જણાવ્યું હતું કે હાલમાં સોના-ચાંદી ગુણોત્તર ૯૧ ની નજીક છે, જે દર્શાવે છે કે સોનાની તુલનામાં ચાંદી હજુ પણ રોકાણ માટે આકર્ષક છે. ઐતિહાસિક રીતે, આ ગુણોત્તર ભાગ્યે જ ૯૦ થી ઉપર રહ્યો છે અને જ્યારે તે નીચે આવે છે, ત્યારે ચાંદીના ભાવમાં વધારો થાય છે. સિલ્વર ઇન્સ્ટિટયૂટના તાજેતરના અહેવાલ મુજબ, આ પાંચમું વર્ષ છે જ્યારે ચાંદીના પુરવઠામાં ઘટાડો અને માંગમાં વધારાને કારણે ચાંદી ખાધમાં છે. આ ખાધથી ભાવમાં વધુ વધારો થયો છે.
એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) એ ચાંદીમાં રોકાણને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પહેલા જ્યાં ચાંદી ફક્ત ધનતેરસ કે અક્ષય તળતીયા જેવા પ્રસંગે જ ખરીદવામાં આવતી હતી, હવે લોકો તેને રોકાણ વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. નાના રોકાણકારો પણ ડિજિટલ સિલ્વર અને ETF દ્વારા તેમાં ભાગ લઈ રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ્સે પણ મલ્ટી-એસેટ ફંડ્સમાં ચાંદીનો સમાવેશ કરવાનું શરૂ કર્યું છે, જેના કારણે તેની લોકપ્રિયતા વધી છે.
કેડિયા કહે છે કે આ વર્ષના અંત સુધીમાં, ખાસ કરીને દિવાળી સુધીમાં ચાંદીના ભાવ રૂ. ૧.૩૦ લાખ સુધી પહોંચી શકે છે. છેલ્લા ૬૦ દિવસમાં, ચાંદીએ ૨૪% નું વળતર આપ્યું છે, જે અન્ય રોકાણ વિકલ્પો કરતાં ઘણું વધારે છે. ઔદ્યોગિક માંગ, પુરવઠાનો અભાવ અને રોકાણકારોના વધતા રસને કારણે ચાંદીમાં આ તેજી ચાલુ રહેવાની શકયતા છે. તે જ સમયે, સોના કરતાં ચાંદીને વળતર માટે વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે.
નિષ્ણાતોના મતે, લાંબા ગાળાના રોકાણ માટે આ એક સુવર્ણ તક છે. આ દિવાળીમાં, જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો ચાંદી પર નજર રાખો. ચાંદીના ભાવ પોતાના રેકોર્ડ તોડી શકે છે. તે રેકોર્ડ પછી રેકોર્ડ બનાવી શકે છે.