એક્ટર પૂજા બેનર્જીને વિશ્વાસુએ છેતરતાં ઘર ગિરવે મુકવું પડ્યું

આંખો બંધ કરીને વિશ્વાસ કર્યાે હોવાથી બધું ગુમાવવું પડ્યું
ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી ‘દેવોં કે દેવ મહાદેવ’ સિરીયલમાં પાર્વતીના પાત્રથી ઘણી જાણીતી થઈ હતી
મુંબઈ, ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી ‘દેવોં કે દેવ મહાદેવ’ સિરીયલમાં પાર્વતીના પાત્રથી ઘણી જાણીતી થઈ હતી. હાલ તે અને તેનો એક્ટર પતિ કુનાલ વર્મા એક મુશ્કેલ પિરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તાજેતરમાં તેણે ખુલાસો કર્યાે છે કે તે એક મોટી આર્થિક છેતરપિંડીનો ભોગ બની છે, તેઓ એટલી મુશ્કેલ સ્થિતિમાં છે કે તેમની બધી જ બચત પણ વપરાઈ ગઈ છે. એક બ્લોગમાં પૂજાએ આ વાત કરી હતી. આ બ્લોગમાં પૂજાએ ખુબ ભાવુક થઈને કહ્યું કે છેલ્લાં કેટલાંક મહિના તેના જીવનનો સૌથી કપરો સમય રહ્યા છે.
પૂજાએ કહ્યું કે અંતે તેને લાગ્યું કે આ વાત જાહેર કરવાનો હવે આ જ યોગ્ય સમય છે. મહત્વની વાત એ છે કે તેમણે જે કૌભાંડનો ખુલાસો કર્યાે તે કોઈ અજાણ્યા નહીં પણ તેમનાં જ જાણીતા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું, જેના પર તેમને ખુબ વિશ્વાસ હતો અને એ વ્યક્તિ છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાથે ઘનિષ્ટ રીતે જોડાયેલી હતી.
પોતાનાં આંસુને મુશ્કેલીથી રોકતાં પૂજાએ કહ્યું કે તેઓ હજુ આઘાતમાં છે અને સ્વીકારવા મથી રહ્યાં છે કે તેમણે જે પૈસા ગુમાવ્યા છે તે ક્યારેય પાછા મેળવી શકશે નહીં. તેણે કહ્યું કે આ વાતની તેના પતિ કુનાલ પર બહુ ઊંડી અસર થઈ છે. પૂજાએ કહ્યું, “અમને આના વિશે વાત કરતાં ઘણો લાંબો સમય લાગી ગયો છે. અમે હજુ પણ ભાવુક થઈ જઈએ છીએ.”કુનાલ વર્માએ આ અંગે કહ્યું, “અમે કોઇના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લીધો અને અમે બધું જ ગુમાવી દીધું.” કુનાલે કહ્યું, તેમણે જે વ્યક્તિને પરિવાર જેવી માની તેણે જ તેમને તોડી નાખ્યા.
તેમણે આ વાત પોતાના અંગત પરિવારથી પણ છુપાવવાની કોશિશ કરી. કુનાલનો દાવો છે કે જે વ્યક્તિએ તેમની સાથે છેતરપિંડી કરી છે તે તેમનો નજીકનો વ્યક્તિ હતો અને તેઓ બંને ત્રણ વર્ષથી તેના ઘરે પણ કેટલીક વખત ગયાં હતાં.પૂજાએ આગળ ખુલાસો કર્યાે કે તેમણે આ સ્થિતિને પહોંચી વળવા માટે પોતાનું ઘર પણ ગિરવે મુકવું પડ્યું છે. તેઓ હવે પોતાનું ઘર પણ ગુમાવી દે એ સ્થિતિમાં છે. તેમની એક જ ઇચ્છા છે કે તેમનાં બાળકે ઘરની છત ગુમાવવાનો વારો ન આવે. પોતાના છેલ્લા વ્લોગમાં પૂજા ઇચ્છાપૂર્તિ હનુમાનજીના મંદિર જતી પણ જોવા મળી હતી. SS1