સુરતમાં પાણીમાં ફસાયેલા બેંકના ૧૨ કર્મચારીઓને બચાવાયા

(એજન્સી)સુરત, સુરતમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા. છેલ્લા ૪ કલાકમાં ૬ ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. લાલ દરવાજા પાસે બેંકના કર્મીઓ પાણીમાં ફસાયા હતા.
પાણીમાં ફસાયેલા ૧૨ કર્મચારીઓનું મહિધરપુરા પોલીસ સ્ટાફે ફાયર વિભાગ રેસ્ક્્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. શહેરમાં ભારે વરસાદના પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉધના દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા છે, બેગમપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે અને સહારા દરવાજા ગરનાળામાં પાણી ભરાયું છે.
તા.૨૩/૦૬/૨૦૨૫ ના રોજ સુરત શહેરમાં અવિરત પણે વરસેલ વરસાદને પગલે સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરયેલ જેને પગલે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સ્કુલો, રહેણાંક વિસ્તારોમાંથી બપોરે ૪ વાગ્યા સુધીમાં કુલ ૧૧૨ વ્યક્તિઓ, બાળકોને સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી હતી.