Western Times News

Gujarati News

હિમાચલમાં વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં વાદળ ફાટતાં ૧૦નાં મોત

વાયનાડમાં પૂર વચ્ચે ભૂસ્ખલનનું જોખમ

કુલ્લુમાં ભીષણ પૂરથી અનેક ઘર ધરાશાયી: બિયાસ અને સતલજ નદીનાં જળસ્તર વધ્યાં

શિમલા,હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં મૂશળધાર વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદ અને પૂરને લીધે ૧૦ લોકોના મોત નિપજ્યાં છે. ગડસા વિસ્તારના સૈંજ અને શિલાગઢમાં જીવાનાલા અને રેહલા બિહાલમાં વાદળ ફાટતા ભીષણ પૂર આવ્યું હતું. જેમાં અનેક ઘરો, એક શાળાની ઇમારત, કનેક્ટિંગ રસ્તાઓ અને નાના પુલોને નુકસાન પહોંચ્યું છે.

મનાલી અને બંજરમાં પણ અચાનક પૂર બિયાસ અને સતલજ નદીના પાણીના સ્તરમાં વધારો થયો છે.જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે પાણીના સ્તરમાં અચાનક વધારો થતાં તાવી નદીમાં ૯ લોકો ફસાયા હતા. જેમને પોલીસ અને એસડીઆરએફ ટીમો દ્વારા સંયુક્ત કામગીરીમાં બચાવી લેવામાં આવ્યા હતા. બચાવ કામગીરી કામગીરી પાણીમાં ફસાયેલા ઘોડાઓનું પણ રેસ્ક્યુ કરાયું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદને જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ત્રણ કલાકથી વધુ સમય સુધી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.વાયનાડઃ છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદને કારણે વાયનાડના મુંડક્કાઈ-ચૂરલમાલા ક્ષેત્રમાં ફરીથી પૂર અને ભૂસ્ખલનની આશંકા વધી ગઈ છે. એક વર્ષ પહેલા જ ત્યાં ભયંકર ભૂસ્ખલનમાં ૨૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા.

જિલ્લા અધિકારીઓએ અહેવાલ આપ્યો હતો કે ચુરલમાલા નદીમાં ભારે પૂર આવ્યું છે અને કાદવવાળું પાણી વહી રહ્યું છે. સ્થાનિકોએ જંગલ વિસ્તારોની અંદર ભૂસ્ખલનનો દાવો કર્યાે છે પરંતુ અધિકારીઓએ એવી કોઈ પુષ્ટિ કરી નથી. તેમણે કહ્યું કે, કાટમાળ વરસાદ સાથે નીચે આવી રહ્યો છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.