Western Times News

Gujarati News

સરસપુરની પોળોમાં સંતો, મહંતો અને ભક્તોને ભંડારામાં આટલી વાનગીઓ પીરસાશે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સરસપુરની પોળમાં ભવ્ય ભવ્ય રસોડા શરૂ થયા છે. સંતો, મહંતો અને ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ભંડારામાં હજારો કીલો મોહનથાળ અને ફૂલવાડી, પુરી અને બટાકાનું શાક બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના દિવસે ૨૭ જૂને  લાખોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદ લેશે. એક સાથે ૧ હજારથી વધુ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જળયાત્રા બાદ મોસાળમાં ગયેલા ભગવાન નિજ મંદિર પરત ફર્યા છે અને તેમની નેત્રોત્સવ વિધિ બાદ તેમણે સોનાવેશ ધારણ કર્યો છે.

બીજી બાજુ મંદિરમાં ગજરાજોનું પૂજન પણ કરવામાં આવ્યું છે. જ્યારે ત્રણેય રથને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતાં. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને આવતીકાલે જગદગુરૂની પદવી આપવામાં આવશે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા પહેલા ભગવાન ગણેશજીનું સ્વરૂપ ગણાતા ૧૮ ગજરાજોનું મંદિર પરિસરમાં મહંત દિલીપદાસજીએ પૂજન કર્યું હતું.

મંદિર પરિસરમાં આદિવાસી નૃત્ય અને ગરબા સાથે ગજરાજોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આઈસીસીના ચેરમેન જય શાહ અને સાંસદ પરિમલ નથવાણી હાજર રહ્યાં હતાં. ભગવાન જગન્નાથની નગર યાત્રાની અંતિમ તૈયારીઓ શરૂ કરાઈ છે. આ ઉપરાંત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને જગદગુરૂની પદવી આપવામાં આવશે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુર ખાતે ભારતીય જનતા પાર્ટી – સરસપુર રખિયાલ વોર્ડ આયોજિત ભજન સંધ્યા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પક્ષના સાથીઓ અને સ્થાનિક શ્રદ્ધાળુઓની સાથે ઉપસ્થિત રહેવાનો અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.