હથિયાર પર મળેલું લોહી, મૃતકનું બ્લડગ્રુપ મેચ થવાથી આરોપ સાબિત ના થાય

સુપ્રીમ કોર્ટે હત્યાના આરોપીને નિર્દાેષ જાહેર કર્યાે
ફરિયાદ પક્ષે ઇરાદાના સ્વરૂપમાં સાંયોજિક પુરાવા રજૂ કરી આરોપ મૂક્યો હતો કે પ્રતિવાદીની મૃતકની પત્ની પર ખરાબ નજર હતી
નવી દિલ્હી, આરોપીને નિર્દાેષ જાહેર કરતાં રાજસ્થાન હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખતા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે મૃતકના બ્લડ ગ્રુપ જેવા જ લોહીથી ખરડાયેલા હથિયારની જપ્તી હત્યાના આરોપને સાબિત કરવા માટે પૂરતી નથી.ન્યાયાધીશ સંદીપ મહેતા અને પીબી વરાલેની બનેલી ખંડપીઠે રાજસ્થાન હાઇકોર્ટના ચુકાદાને પડકારતી રાજ્ય સરકારની અપીલ ફગાવી દીધી હતી. હાઇકોર્ટે હત્યાના ગુનામાં એક આરોપીને નિર્દાેષ જાહેર કર્યાે હતો. અગાઉ ડિસેમ્બર ૨૦૦૮માં એડિશનલ સેશન જજે આરોપીને ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ ૩૦૨ હેઠળ સજાપાત્ર ગુના માટે દોષિત ઠેરવીને તેને આજીવન કેદ અને રૂ.૧૦૦નો દંડ ભરવાની સજા ફટકારી હતી.
દંડ ન ભરવાની સ્થિતિમાં વધુ ૩ મહિનાની સાદી કેદનો પણ ચુકાદો આપ્યો હતો. ટ્રાયલ દરમિયાન પ્રતિવાદી પર છોટુ લાલની હત્યાનો આરોપ મૂકાયો હતો. આ હત્યા ૧ અને ૨ માર્ચ, ૨૦૦૭ની મધ્યરાત્રિએ થઈ હતી. શરૂઆતમાં, અજાણ્યા હુમલાખોરો સામે એફઆઈઆર દાખલ કરાઈ હતી અને પછીના તબક્કે શંકા અને સાંયોગિક પુરાવાના આધારે આ પ્રતિવાદીને કેસમાં આરોપી બનાવાયો હતો. ફરિયાદ પક્ષે ઇરાદાના સ્વરૂપમાં સાંયોજિક પુરાવા રજૂ કરી આરોપ મૂક્યો હતો કે પ્રતિવાદીની મૃતકની પત્ની પર ખરાબ નજર હતી.
પુરાવા તરીકે ગુનાના હથિયારની જપ્તીનો ઉલ્લેખ કરીને જણાવાયું હતું કે FSL રિપોર્ટ મુજબ હથિયાર પરનું બ્લડ ગ્›પ મૃતકના બ્લડ ગ્›પ (B+ve) સાથે મેળ ખાય છે.રાજસ્થાન હાઈકોર્ટના મંતવ્ય સાથે સંમત થતાં જસ્ટિસ મહેતાની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે અમને લાગે છે કે ફરિયાદપક્ષે લોહીથી ખરડાયેલા હથિયારની જપ્તી અને ઇરાદાના સાંયોગિક પુરાવા પર આધાર રાખ્યો છે.
આ પુરાવાને એકસાથે ધ્યાનમાં લેવામાં આવે તો પણ તે આરોપીને દોષિત ઠેરવવા માટે પૂરતા નથી. હાઈકોર્ટે FSL રિપોર્ટની અવગણના કરી હોય તેવું લાગે છે. જોકે જો FSL રિપોર્ટને ધ્યાનમાં લેવામાં આવે તો પણ આરોપીના સ્થળેથી મળેલ હથિયાર મૃતકના બ્લડ ગ્રુપ (મ્+vી) જેવા જ બ્લડ ગ્રુપ માટે પોઝિટિવ હોવાની હકીકત સિવાય આ રીપોર્ટમાં બીજી કોઇ વિગતો નથી.SS1