દેશ કટોકટીના લડવૈયાઓને હંમેશા યાદ રાખશેઃ PM નરેન્દ્ર મોદી

પૂર્વ પીએમ મોરારજી દેસાઈ, અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા
પીએમએ તેમના રેડિયો કાર્યક્રમમાં કટોકટી કાળના અતિરેકનો ઉલ્લેખ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કોંગ્રેસ પક્ષનું નામ લીધા વગર કર્યાે હતો
નવી દિલ્હી,ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત રેડિયો કાર્યક્રમમાં કટોકટીકાળના નાયકોને યાદ કર્યા હતા. પીએમએ તેમના સંબોધનમાં કોટકટીકાળ દરમ્યાન તત્કાલિન કોંગ્રેસ સરકારે લોકો પર આચરેલી ક્રૂરતા પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, કટોકટીકાળના લડવૈયાઓને દેશ હંમેશા યાદ રાખશે કારણ કે તેમની પ્રેરકગાથા જ લોકોને જાગરૂક કરવાની સાથે બંધારણને મજબૂત બનાવે છે. કટોકટીકાળને યાદ કરતા વડાપ્રધાને મન કી બાતમાં જણાવ્યું કે, દેશમાં કટોકટી લાદીને કેન્દ્રે માત્ર બંધારણની હત્યા ન કરી તેટલું નહીં પણ ન્યાયતંત્રને તેમની કઠપૂતળી બનાવી દીધી હતી.
તાજેતરમાં ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને વિપક્ષ દ્વારા કટોકટીની ૫૦મી વર્ષગાંઠ પર આકરી શાબ્દિક ટિપ્પણીઓ કરાઈ હતી. વિપક્ષે પીએમ મોદીની સરકારમાં અઘોષિત કટોકટી હોવાનો આક્ષેપ કર્યાે હતો. પીએમએ તેમના રેડિયો કાર્યક્રમમાં કટોકટીકાળના અતિરેકનો ઉલ્લેખ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કોંગ્રેસ પક્ષનું નામ લીધા વગર કર્યાે હતો. પીએમ મોદીએ કહ્યું કે, ૧૯૭૫થી ૭૭ વચ્ચે ૨૧ મહિનાઓ સુધી લોકોને વ્યાપક ત્રાસ અપાયાના સંખ્યાબંધ ઉદાહરણો છે જે ભૂલી શકાય તેમ નથી.
કાર્યક્રમમાં વચ્ચે પૂર્વ પીએમ મોરારજી દેસાઈ, અટલ બિહારી વાજપેસી અને પૂર્વ નાયબ વડાપ્રધાન જગજીવન રામના ભાષણના અંશો પણ રજૂ કરાયા હતા. જ્યોર્જ ફર્નાન્ડિસને સાંકળ વડે બાંધી રખાયા હતા.પીએમ મોદીએ જણાવ્યું કે, એક સમયે ૨૦૧૫ સુધીમાં દેશના ફક્ત ૨૫ કરોડથી ઓછા લોકો સુધી સામાજિક સુરક્ષા યોજાનાઓનો લાભ સિમિત હતો. જ્યારે તેમની સરકાર આવ્યા બાદ ૯૫ કરોડ લોકોને આ યોજનાઓનો લાભ મળતો થયો છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઈએલઓ)ના રિપોર્ટને ટાંકીને તેમણે જણાવ્યું કે, દેશની વસતીના ૬૪ ટકા લોકો સામાજિક સુરક્ષાનો લાભ લઈ રહ્યા છે.ss1