Western Times News

Gujarati News

શ્રમિક પરિવારના બાળકની શ્વાસનળીમાં ફસાયેલો પથ્થર સફળ ઓપરેશનથી દૂર કરાયો

સરકારી આરોગ્ય સેવાની સંવેદનશીલતા; અમદાવાદ અને બનાસકાંઠાના બાળકોને નવજીવન આપતા સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર્સ…

અમદાવાદ, બનાસકાંઠાના ખેડૂત પરિવારમાં રમત રમતમાં ભાઈથી ભૂલથી એરગનનું ટ્રિગર દબાઈ જતાં એરગનની ગોળી નાનકડી સુમનબાને વાગી અને ઘટનાની ગંભીરતા જોતાં તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાઈ. જ્યાં ઓપરેશન બાદ આ પેલેટ દૂર કરવામાં આવી અને આજે સુમનબા સંપૂર્ણ સ્વસ્થ છે…

જ્યારે અન્ય કિસ્સામાં અમદાવાદના શ્રમિક પરિવારના બાળકને સીટી સ્કેન કર્યા બાદ ખબર પડી કે તેની શ્વાસનળીમાં પથ્થર ફસાયેલો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમે વેન્ટિલેટર સપોર્ટ પર રહેલા આ બાળકનું સફળ ઓપરેશન કર્યું

અને તેની શ્વાસનળીમાંથી પથ્થર નીકળતા જ સ્થિતિમાં સુધારો થયો અને નવજીવન મળ્યું… આ બંને જટિલ કિસ્સાઓમાં દર્દીઓની સંપૂર્ણ સારવાર નિ: શુલ્ક કરવામાં આવી છે અને આ સફળતા એ માત્ર તબીબી વિજ્ઞાનની જ નહીં, પણ રાજ્યની જાહેર આરોગ્ય વ્યવસ્થાની સંવેદનશીલતાની પણ જીત છે : ડૉ. રાકેશ જોશી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.