Western Times News

Gujarati News

ગુજરાત સરકારને કોરોના રસીનો જરૂરી જથ્થો હજુ સુધી મળ્યો નથી

Files Photo

૨૮ એપ્રિલથી ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે વેક્સીનેશનનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે, પહેલાં દિવસે ઓછી સંખ્યામાં લોકો પોતાનું નામ નોંધાવી શક્યા છે

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાલમાં જ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં ૧ મેથી ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકો માટે વેક્સીનેશન ડ્રાઈવ શરૂ થશે. જાે કે, આરોગ્ય વિભાગના અધિકારીઓ ચિંતામાં છે કારણકે રાજ્યને હજી સુધી વેક્સીનનો જરૂરી જથ્થો મળ્યો નથી. બુધવારથી ૧૮થી વધુ વયના લોકો માટે કોરોનાની રસી લેવાનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે.

સીએમ રૂપાણીએ તાજેતરમાં જ દાવો કર્યો હતો કે, રાજ્ય સરકાર દ્વારા ૧.૫૦ કરોડ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જાે કે, અધિકારીઓનું કહેવું છે કે, સરકારને હજી સુધી રસીનો જથ્થો મળવાનો બાકી છે. વેક્સીનેશન ડ્રાઈવમાં મહત્વનો ભાગ ભજવી રહેલા સૂત્રએ જણાવ્યું,

રસી માટે સૌથી પહેલા ઓર્ડર આપનારા રાજ્યોમાં આપણો પણ સમાવેશ થાય છે, તેમ છતાં હજી સુધી આપણને ઉત્પાદકો અને કેંદ્ર સરકાર તરફથી પુરવઠો મળ્યો નથી. અમને ડર છે કે, શરૂઆતના અમુક દિવસો સુધી મોટાપાયે લોકોને રસી નહીં આપી શકાય. દરમિયાન, સરકારે રસીકરણના કેંદ્રો વધારવાનું નક્કી કર્યું છે જેથી વધેલી માગને પહોંચી શકાય.

વિશ્વસનીય સૂત્રોએ કહ્યું, હાલની તારીખમાં રાજ્ય સરકાર પાસે કોરોનાની રસીના ૭.૯ લાખ ડોઝ છે. જે કેંદ્ર તરફથી ૪૫થી વધુ વયના લોકોના રસીકરણ માટે પ્રાપ્ત થયા હતા. હજી આ વયજૂથ માટેનો જ નવો સ્ટોક આવ્યો નથી. ગુજરાત સરકારના અંદાજ મુજબ ૧૮થી૪૫ના વયજૂથ માટે ૬.૫૦ કરોડ ડોઝ (જે લોકો લાયકાત ધરાવતા હોય તેમના માટે)ની જરૂર પડશે. ૪૫ વર્ષથી ઉપરના લોકો માટે પ્રતિ દિવસ પાંચ લાખ ડોઝ આપવાનો ટાર્ગેટ કેંદ્ર સરકારે નક્કી કર્યો છે.

જાે કે, ગુજરાત સરકાર હજી સુધી એક પણ દિવસે આ લક્ષ્ય સાધી શકી નથી. અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ ૪.૯૦ લાખ લોકોને રસી આપવામાં આવી છે. વેક્સીનના ડોઝની અછત તેમજ કોરોનાને કાબૂમાં લેવાની ડ્યૂટીમાં મેડિકલ સ્ટાફ વ્યસ્ત હોવાથી છેલ્લા એક મહિનામાં દૈનિક ૫૦,૦૦૦થી ૧ લાખની વચ્ચે જ ડોઝ આપી શકાયા છે.

ગુજરાતમાંથી હજારો લોકો કાગડોળે ૨૮ એપ્રિલની રાહ જાેઈ રહ્યા હતા, જેથી તેઓ કોવિડ વેક્સીન માટે પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે. જાે કે, વારંવાર પ્રયત્ન છતાં કેટલાય લોકોને નિરાશા સાંપડી કારણકે તેઓ રજિસ્ટ્રેશન ના કરાવી શક્યા. રાજ્યના આરોગ્ય વિભાગના સિનિયર અધિકારીઓએ પહેલા દિવસના રજિસ્ટ્રેશનના આંકડા બહાર પાડ્યા નથી પરંતુ ખૂબ ઓછા લોકો પોતાનું નામ રજિસ્ટર કરાવી શક્યા છે.

વેક્સીન ડિલિવરીનું શિડ્યુલ મળી જશે પછી રજિસ્ટ્રેશન શરૂ થશે. આ માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે. અમને આશા છે કે અમે શિડ્યુલ પ્રમાણે, જલદી જ રસીકરણ કરી શકીશું, તેમ સિનિયર અધિકારીએ જણાવ્યું. નવી ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આવતા દર્દીઓને જ દાખલ કરવાનો નિયમ એએમસી બાદ રાજ્ય સરકારે પણ પાછો ખેંચ્યો છે.

દર્દીઓના સગાંઓએ હોસ્પિટલની બહારથી સવારે ૮ વાગ્યાથી ટોકન લેવાનું રહેશે. કોવિડ અને અન્ય રિપોર્ટ સબમિટ કર્યા બાદ ટોકન મળશે. જે દર્દીઓનું ઓક્સિજન લેવલ ૯૨થી ઓછું હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. ખાલી પડેલા બેડ માટે જ ટોકન અપાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.