Western Times News

Gujarati News

શિવપાલ યાદવ જેલમાં આઝમ ખાનને મળ્યા: બન્ને દિગ્ગજ નેતા અખિલેશ યાદવથી નારાજ

લખનૌ, પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ યાદવ બે વર્ષથી ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાં બંધ સપા ધારાસભ્ય આઝમ ખાનને મળવા જેલ પહોંચ્યા છે. શિવપાલ આઝમ ખાનને મળી રહ્યા છે ,નવા જૂનીના એંધાણની સંભાવના નકારી શકાય તેમ નથી.

આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે આઝમ ખાન કેમ્પમાંથી અખિલેશ યાદવ સામે નારાજગીના અવાજાે ઉઠી રહ્યા છે, શિવપાલ યાદવ પહેલાથી જ અખિલેશ વિરુદ્ધ બળવાખોર વલણ અપનાવી ચૂક્યા છે.

જણાવી દઈએ કે રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરી બુધવારે રામપુર ગયા હતા અને આઝમ ખાન પરિવારને મળ્યા હતા. આ દરમિયાન જયંતે આઝમ ખાનના પરિવાર સાથેના તેના પારિવારિક સંબંધો વિશે જણાવ્યું હતું.

તે જ સમયે સપાથી નારાજ શિવપાલ યાદવ સપાના મુસ્લિમ ચહેરા ગણાતા આઝમ ખાનને મળવા માટે સીતાપુર જેલ પહોંચ્યા છે. જાેકે, શિવપાલે ગુરુવારે જ આજતક સાથેની વાતચીતમાં આઝમ ખાનને મળવાની વાત કરી હતી.

શિવપાલે કહ્યું હતું કે આઝમ ખાનને જેલમાં મળવા જશે, કારણ કે ભાજપ સરકારમાં તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેમના પર ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. જાેકે, ભાજપને લઈને શિવપાલ યાદવનો સોફ્ટ કોર્નર હજુ પણ દેખાઈ રહ્યો છે, પરંતુ આઝમ ખાન તેમને સમાજવાદી પાર્ટીનો શિકાર બતાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી.

શિવપાલ યાદવ અને આઝમ સમર્થક અખિલેશ યાદવ વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં આઝમ ખાન સમાજવાદી પાર્ટીની અંદર અખિલેશના વિરોધનું કેન્દ્ર બની રહ્યા છે અને શિવપાલ યાદવ તેને વધુ હવા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શિવપાલ યાદવે કહ્યું હતું કે જાે અખિલેશ યાદવ સમજે છે કે હું બીજેપી સાથે છું તો તે અમને પાર્ટીમાંથી બહાર કાઢી શકે છે અને જલદીથી બહાર કાઢી શકે છે.

ઉલ્લેખનીય છે કે આઝમ ખાન વિરુદ્ધ હજુ પણ લગભગ ૮૦ કેસ ચાલી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ આઝમ ખાનને મળવા માટે માત્ર એક જ વાર જેલમાં ગયા છે, જેના કારણે આઝમ સમર્થકો સપાથી નારાજ છે. આવી સ્થિતિમાં શિવપાલ યાદવે જેલમાં આઝમ ખાન સાથે મુલાકાત કરી છે.

સપામાં એક સમયે શિવપાલ યાદવ બોલતા હતા. મુલાયમ સિંહ યાદવના સમયમાં સપામાં શિવપાલ યાદવનું વર્ચસ્વ જળવાઈ રહ્યું હતું. તે જ સમયે, આઝમ ખાન સપાનો મુસ્લિમ ચહેરો હતો અને પાર્ટીમાં તેમની સ્થિતિ બીજા નંબરની હતી.

આ રીતે શિવપાલ અને આઝમ ખાન બંને સપાના મજબૂત નેતા ગણાતા હતા, પરંતુ અખિલેશ યાદવે પણ સપાની કમાન સંભાળીને પોતાને મુલાયમ સિંહના રાજકીય વારસદાર તરીકે સ્થાપિત કરી લીધા છે.

શિવપાલ યાદવ સપાથી અલગ થઈને પોતાની પાર્ટી બનાવ્યા પછી સફળ ન થયા, પરંતુ ૨૦૨૨માં ધારાસભ્ય બન્યા બાદ તેમણે ફરી બળવાખોર વલણ અપનાવ્યું છે. તેવી જ રીતે આઝમ ખાનના સમર્થકો પણ નારાજ છે.

આવી સ્થિતિમાં શિવપાલ યાદવ આઝમ ખાનને જેલમાં મળીને ભવિષ્યની રાજકીય રણનીતિ પર પગલું ભરી શકે છે. આનું એક કારણ એ છે કે અખિલેશ યાદવ પોતાના બંને નેતાઓની ચિંતા અને પરવા નથી કરી રહ્યા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.