Western Times News

Gujarati News

દિલ્હીની જામા મસ્જિદથી કોલકાતા, લખનૌ સુધી વિરોધ પ્રદર્શન,નુપુર શર્મા-નવીન જિંદાલની ધરપકડની માંગ

નવીદિલ્હી,પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણીનો વિવાદ અટકતો જણાતો નથી. શુક્રવારની નમાજ બાદ દેશના અનેક શહેરોમાં નૂપુર શર્મા વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયા હતા. આ દરમિયાન પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. દિલ્હીની જામા મસ્જિદથી લઈને કોલકાતા અને યુપીના ઘણા શહેરોમાં નૂપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયા હતા.

યુપીની રાજધાની લખનૌ ઉપરાંત દેવબંદ, પ્રયાગરાજ અને સહારનપુરમાં નૂપુરની ધરપકડની માંગને લઈને ભારે હોબાળો થયો હતો. પોલીસે દેવબંદમાં પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે.જામા મસ્જિદ ખાતે દેખાવકારોએ નુપુર શર્મા અને નવીન જિંદાલ સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ સાથે લોકોએ જાેરદાર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જાે કે પોલીસનું કહેવું છે કે હાલ સ્થિતિ કાબુમાં છે.

જામા મસ્જિદના શાહી ઈમામનું કહેવું છે કે તેઓ આ વિરોધ અંગે કંઈ જાણતા નથી. તેમજ મસ્જિદ દ્વારા કોઈ વિરોધ પણ બોલાવવામાં આવ્યો ન હતો. જામા મસ્જિદના શાહી ઈમામે કહ્યું, તેમને ખબર ન હતી કે જામા મસ્જિદની બહાર આ પ્રકારનું પ્રદર્શન થવાનું છે. તેમ જ જામા મસ્જિદ દ્વારા વિરોધ બોલાવવામાં આવ્યો ન હતો, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું, કેટલાક લોકોએ જામા મસ્જિદ ચોક એટલે કે ગેટ નંબર એક પર નારા લગાવવાનું શરૂ કર્યું.

કોણ છે આ લોકો, પોલીસ શોધી કાઢશે. પોલીસને ખબર પડશે કે આ લોકો કોણ છે અને કોણે આ સૂત્રોચ્ચાર કર્યા છે. કોઈ જાણતું ન હતું, મને લાગે છે કે પોલીસને પણ ખબર નહોતી કે પ્રદર્શન થવાનું છે. શુક્રવારની નમાજ બાદ યુપીના લખનૌ, પ્રયાગરાજ, સહારનપુર અને દેવબંદમાં નુપુર શર્મા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયા હતા. આ દરમિયાન ભારે સૂત્રોચ્ચાર પણ થયો હતો. દેવબંદમાં પોલીસે કેટલાક લોકોને કસ્ટડીમાં પણ લીધા છે. લોકોને કાબૂમાં લેવા માટે પોલીસને ઘણી મહેનત કરવી પડી હતી.hs2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.