Western Times News

Gujarati News

શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિર ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું

Somnath temple shravan month

શ્રાવણ માસના પ્રથમ દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા  ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો… શ્રી સોમનાથ મહાદેવને પ્રાત: પીતાંબર અને ફૂલોનો શ્રુંગાર કરવામાં આવેલ.

શ્રાવણના પ્રથમ  દિને શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઇ  સાહેબના હસ્તે ધ્વજાપૂજા અને યજ્ઞશાળા ખાતે આજથી શરૂ થનાર મહામૃત્યુંજય જાપ  યજ્ઞનો પ્રારંભ  કરવામાં આવેલ. જેમાં ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબ, એક્ઝિક્યુટીવ ઓફીસર શ્રી  દિલિપભાઇ ચાવડા સાહેબ સાથે ટેમ્પલ ડી.વાય.એસ.પી એમ.એમ.પરમાર સાહેબ  તેમજ તીર્થ પુરોહિતો પણ ઉપસ્થિત રહેલ.

ગીર સોમનાથ જીલ્લા પોલિસ દ્વારા મંદિર પરિસમાં પબ્લિક સહાયતા કેન્દ્ર પણ  ઉભુ કરવામાં આવેલ છે.  જેની  મુલાકાત માન સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઇ સાહેબ અને જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબ, એક્ઝિક્યુટીવ ઓફીસર શ્રી  દિલિપભાઇ ચાવડા સાહેબ દ્વારા લેવામાં આવેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.