Western Times News

Gujarati News

મુખ્યમંત્રીની આગેવાનીમાં રાજકોટ ખાતે તિરંગા યાત્રા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં તિરંગા યાત્રાના આયોજન થઇ રહ્યા છે. ત્યારે રાજકોટમાં હર ઘર તિરંગા’ કાર્યકમનું આજે આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારે ‘હર ઘર તિરંગા’ કાર્યકમનું શરૂઆત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સી આર પાટીલ પણ ઉપસ્થીત રહ્યા છે.

બહુમાળી ભવન ચોકથી શરૂ થનારી તિરંગા યાત્રા બે કિલોમીટરનું અંતર કાપીને રાષ્ટ્રીય શાળા પૂરી થશે અને યાત્રામાં  ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, સી આર પાટીલ પણ તિરંગો લેહારાવતા જોવા મળ્યા છે.

આ યાત્રામાં બાઈક રેલી પણ કરવામાં આવી હતી. આ યાત્રામાં વિદ્યાર્થી દ્વારા ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ યાત્રામાં અલગ અલગ યુનિવર્સીટીના અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોવા મળ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.