Western Times News

Gujarati News

બી કે પટેલે પોતાના જન્મદિવસે અંગદાન કરવાનો કર્યો સંકલ્પ

(પ્રતિનિધિ) ભરૂચ, મનુષ્યના મૃત્યુ બાદ તેની અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે અને અગ્નિદાહ આપ્યા બાદ મૃતક શરીર રાખ બની જતી હોય છે.પરંતુ અંગદાન કરવામાં આવે તો જે મનુષ્ય પોતાના શરીરમાં જે અંગ વિના જીવન વિતાવી રહ્યો છે.તેને નવું અંગ મળે તો તેને નવું જીવન મળ્યું હોય તેવું માનવામાં આવે છે.ત્યારે ભરૂચમાં સામાજીક ક્ષેત્રે વર્ષોથી કાર્યરત એવું બાહુબલી ટુ ગ્રુપના સ્થાપક બી કે પટેલે પોતાના જન્મ દિન નિમિત્તે પોતાના મૃત્યુ બાદ અંગદાન માટે ફરમાન કરાવી લોકોને પ્રેરણારૂપ સંદેશો પાઠવ્યો છે.
અંગદાન એ શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે અને અંગદાન કરવાથી કેટલાય લોકોને જીવનમાં નવું જીવન મળતું હોવાનું અનુભવ કરતા હોય છે.

ભરૂચ જીલ્લામાં સામાજીક ક્ષેત્રે કાર્યરત બાહુબલી ટુ ગ્રુપના સ્થાપક બી કે પટેલે પોતાના જન્મ દિને પોતાના મૃત્યુ બાદ તેઓના અંગોનું દાન એટલે કે દેહદાન કરવા માટે ભરૂચના નિષ્ણાત તબીબ વસીમ રાજ અને શૈલેષ પટેલ,દિવ્યેશ પટેલની ઉપસ્થિતિમાં ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર પાસે બી કે પટેલે પોતાના જન્મ દિને તેઓના મૃત્યુ પછી અંગદાન અને દેહદાન માટે સંકલ્પ કર્યો હતો.

લેખિતમાં પોતાના અંગોનું દાન કરવા માટે સહમતિ દર્શાવી પોતાના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી હતી. મૃત્યુ બાદ અંગો કોઈ બીજાને કામ લાગે તો શરીરના અંગો વિના જીવન જીવતા વ્યક્તિને નવુ જીવન દાન મળ્યું હોય તેઓ અનુભવ કરે.એટલા માટે જ પોતાના જન્મદિને અંગદાન માટેનો સંકલ્પ કરવા સાથે સહમતિ દર્શાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.