Western Times News

Gujarati News

ધોલેરા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ ફેબ્રુઆરીએ યોજાશે

ગ્રામ્ય તથા તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરિયાદ ૧૭ ફેબ્રુઆરી સુધી કચેરીને પહોંચતા કરવા સૂચના

મામલતદારની કચેરી, ધોલેરાની અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર ધોલેરા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨/૦૨/૨૦૨૩ને બુધવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી ધોલેરા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસૂલ) અમદાવાદના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે.

આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોની લેખિત રજૂઆત અરજદાર શ્રીએ તારીખ. ૧૭/૦૨/૨૦૨૩ સુધીમાં મામલતદાર કચેરી ધોલેરા ખાતે મોકલી આપવાની રહેશે.

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ્ય કક્ષાએ પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામસેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તેનો નિકાલ થયો ન હોય તો જ અરજી કરી શકાશે.

તાલુકા કક્ષાએ પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજૂઆત કરેલી હોવી જોઈએ અને તેનો નિકાલ થયેલ ન હોય તો અરજી કરી શકશે.

આ કાર્યક્રમમાં રજૂ થતા પ્રશ્નો ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ. આ કાર્યક્રમમાં અરજદાર પોતે રૂબરૂ પોતાના પ્રશ્નોના જરૂરી આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. આધાર વગરની અરજી ન હોવી જોઈએ.

આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહિક બાબતની રજૂઆત કરી શકાશે નહીં. આ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા નીતિવિષયક બાબતો સિવાયની અરજીઓ સ્વીકારવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.