Western Times News

Gujarati News

120 ટકા વ્યાજ લેતો વ્યાજખોરની જામીન અરજી કોર્ટે ફગાવી

પ્રતિકાત્મક

ભરૂચ કોર્ટે વ્યાજખોર અજય શાહની જામીન અરજી ફગાવી -તપાસમાં આરોપી પાસેથી બીજા અન્ય કોરા ચેક અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં પોલીસવડા ડૉ.લીના પાટીલ દ્વારા બેફામ બનેલા વ્યાજખોરો સામે એકશન પ્લાન તૈયાર વ્યાજખોરી સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.પોલીસે એક પછી એક વ્યાજખોરોને કાયડનો કોરોડો ઝીકી જેલભેગા કરવાની શરૂઆત કરી છે. આજે વધુ એક વ્યાજખોરની જામીન અરજી ભરૂચ જીલ્લા સેશન્સ કોર્ટ રદ કરી છે.જીલ્લા સરકારી વકીલ તરીકે પી.બી. પંડયાએ હાજર થઈ અસરકાર રજુઆત કરી દલીલો હતી.

ભરૂચના ઝાડેશ્વરમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા વ્યક્તિએ અજય મહેન્દ્રભાઈ શાહ પાસેથી ૪,૦૦,૦૦૦ રૂપિયા વ્યાજે લીધા હતા. આ ૨કમ ઉપર આરોપી મહિનાનું ૧૦% વ્યાજ એટલે કે વાર્ષિક ૧૨૦ % વ્યાજ વસુલ કરતો હતો. આ બાબતે કુલ ૪૪ વ્યાજ વસુલાત સાઈટની રકમોના ઓનલાઈન ટ્રાન્જેકશન કરવામાં આવ્યા હતા

અને બાકી ૨કમ સાથે ફ૨ીયાદી રૂપિયા ૧૨,૮૯,૦૦૦ રૂપિયા વ્યાજનુ પણ ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે મુદલ ૨કમ ચુકવી આપેલી હોવા છતા આરોપી અજય મહેન્દ્રભાઈ શાહે જાણે ઉઘરાણી ચાલુ રાખી હતી.

જેના પગલે ફરિયાદી એ ભરૂચ સી ડિવિઝન માં ફરિયાદ નોંધાવતા પોલીસે ઈ.પી.કોડની કલમ– ૩૮૬, ૩૮૪, ૫૦૪ તેમજ ગુજરાત નાણા ધીરધારના કાયદાની કલમ–૩૩(૩), ૪૦, ૪૨ (એ) (ડી) એફઆઈઆર દાખલ કરી આરોપી અજય મહેન્દ્રભાઈ શાહની ધરપકડ કરી હતી.

ફ૨ીયાદી અને તેના પરિવાર ઉપર સતત ત્રાસ આપી ફરીયાદી તેમજ તેના ઘ૨ના સભ્યોને ધમકાવી વ્યાજખો૨ી દબડાવતો હતો તેમજ ફરીયાદીના કોરા ચેક મેળવી તેનો દુરઉપયોગ કરી નાણા ધી૨ધા૨નું લાયસન્સ ના હોવા છતાં કોરા ચેકમાં રકમ ભરી મેગોશીયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એકટ હેઠળ પણ ફરિયાદ કરેલી હતી.

આ બાદ પણ ફરીયાદીને સતત ફોન કરી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી.આ તમામ વાતચીતના મોબાઈલ રેકોર્ડીંગ સાથે અન્ય પુરાવા ભેગા કરી ફરીયાદીએ આરોપી સામે એક ગુનો દાખલ કર્યો હતો.

તપાસમાં આરોપી પાસેથી બીજા અન્ય કોરા ચેક અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ભરૂચ પોલીસે આવા વ્યાજખોરો સામે સખતમાં સખત કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.ભોગ બનનારાઓને લોક દરબારમાં પણ માગદશન મળી રહ્યું છે.

આરોપી અજય મહેન્દ્રભાઈ શાહની ધ૨૫કડ થતાં તેઓએ ભરૂચ જીલ્લા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી અને તે જામીન અરજીના કામે તપાસ કરનાર પોલીસ એજન્સીએ રજુ કરેલ પોલીસ તપાસના અહેવાલ તેમજ સોગદનામાને વેંચાણમાં લઈ સ૨કા૨ તરફે જીલ્લા સરકારી વકીલ તરીકે પી.બી.પંડયા હાજર થઈ અસરકાર રજુઆત કરી દલીલો હતી.સરકાર પક્ષની રજૂઆતને ધ્યાને લઈ ભરૂચના પ્રિન્સીપલ એન્ડ સેશન્સ જડજ બ્રહ્મભટ્ટ દ્વારા વ્યાજખોરની જામીન અરજી નામંજુર કરી જેલ ભેગો કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.