Western Times News

Gujarati News

લીંબડી ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે ‘ભય મુક્ત પરીક્ષા’ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) હળવદ, માર્ચ મહિનામા આવતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને લઇને સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ખાતે મનદીપ પાર્ટી પ્લોટ હોલમા એક વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. જેમા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાને લઇને જે ભય હોય છે.તે ભયમુક્ત પરિક્ષા બાબતનો સુંદર કાર્યક્રમ જગદીશ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.જેમા તેઓ એ વિદ્યાર્થીઓને પ્રેરક પ્રવચન આપ્યુ હતુ.

આ કાર્યક્રમ લીબડી નિમ્બબાર્ક પીઠ મોટા મંદિર દ્વારા યોજવામાં આવ્યો હતો.ત્યારે,આ કાર્યક્રમમા લીબડીની તમાંમ શાળાના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.ત્યારે, જગદીશ ત્રિવેદીએ તમાંમ વિદ્યાથીઓને પરીક્ષાલક્ષી સલાહ સુચન કર્યું હતુ.આ કાર્યક્રમમાં મોટા મંદિર મહંત લલીતકિશોર બાપુ, પ્રકાશભાઈ સોની,બેલાબેન વ્યાસ, બકુલભાઈ ખાખી સહિતના તમામ શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાથી ભય મુક્તતાનો અનુભવ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.