Western Times News

Gujarati News

વિભિન્ન રાજ્યોની ભાષા જાણનારા જવાનોને કેદારનાથ યાત્રામાં તૈનાત કરાશે

દહેરાદૂન, કેદારનાથ યાત્રાને પગલે પોલીસ તંત્રએ કમર કસી લીધી છે. યાત્રા અંગે આ વખતે પોલીસ તરફથી નવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ સિવાય કેદારનાથ નેશનલ હાઈવે પર ડેન્જર ઝોનના ટ્રીટમેન્ટને લઈને પણ એસપીએ જિલ્લા તંત્રને રિપોર્ટ સોંપ્યો છે. પોલીસે જણાવ્યુ કે કેદારનાથ યાત્રામાં દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે, પરંતુ તેમને સુવિધાઓ ન મળવાથી તકલીફનો સામનો કરવો પડે છે.

આ વખતે પોલીસ તંત્ર તરફથી મુસાફરોને શ્રેષ્ઠ સુવિધાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. યાત્રા દરમિયાન સ્થાનિક ભાષાની મોટી સમસ્યા હોય છે. અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો એવા હોય છે, જે પોતાની ભાષા જ સમજી શકે છે. તેમને હિન્દી ભાષાનું પણ જ્ઞાન હોતુ નથી. દરમિયાન પોલીસ તંત્ર તરફથી મુસાફરો માટે એવા જવાનોની તૈનાતી કરવામાં આવશે, જે વિભિન્ન રાજ્યોની ભાષાઓનું જ્ઞાન ધરાવતા હોય. આ સિવાય તે જવાનોની પસંદગી કરવામાં આવશે, જેમનો વ્યવહાર જ તેમની ઓળખ છે. આવા જવાનોને કેદારનાથ યાત્રામાં તૈનાત કરવામાં આવશે. જેનાથી તેઓ યાત્રાળુઓનો વ્યવહાર કુશળતાથી સમજી શકે અને તેમની દરેક સંભવ મદદ કરી શકે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.