Western Times News

Gujarati News

નિખિલ પટેલ જાેડે લગ્ન બાદ દીકરા સાથે કેન્યા પહોંચી દલજીત

મુંબઈ, એક્ટ્રેસ દલજીત કૌર હવે ભારત છોડીને કેન્યા પહોંચી ગઈ છે. દલજીત કૌરે NRI નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. જે બાદ દલજીત અને નિખિલ હનીમૂન માટે બેંગકોક અને સિંગાપોર ગયા હતા.

સિંગાપોરથી પાછા આવીને તરત જ મિસ્ટર એન્ડ મિસિસ પટેલ કેન્યા જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે, નિખિલ પટેલ યુકેનો વતની છે પરંતુ હાલ કામના કારણે તે કેન્યા શિફ્ટ થયેલો છે. જેથી દલજીત પણ પોતાના દીકરા જેડન સાથે હવે કેન્યા પહોંચી ગઈ છે.

મુંબઈ અને પોતાના દેશને છોડીને જતી વખતે દલજીત ભાવુક થઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર ‘ગુડબાય’ના કેટલાક વિડીયો શેર કર્યા છે સાથે જ પતિ પાસે પહોંચ્યા પછીની ખુશી પણ દેખાડી છે. દલજીત કૌરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દીકરા જેડનની તસવીર શેર કરી છે.

જેમાં તે પોતાના નાનીને આલિંગન આપીને વિદાય લેતો જાેવા મળે છે. બીજી તસવીર ફ્લાઈટની છે જેમાં જેડન અને દલજીત બેઠેલા જાેઈ શકાય છે.

દલજીતના હૃદયમાં મિશ્ર લાગણીઓનો ધોધ વહેતો જાેવા મળ્યો હતો. એક તરફ પોતાનો દેશ અને ઘર છોડીને જવાનું દુઃખ હતું તો બીજી તરફ પતિ નિખિલ સાથે ઘર વસાવવાનો આનંદ પણ હતો. કેન્યા પહોંચ્યા પછી દલજીતે પતિ નિખિલ સાથેની તસવીરો શેર કરી હતી.

જેમાં બંને એકસાથે ખુશ દેખાઈ રહ્યા છે. તસવીરો શેર કરતાં દલજીતે લખ્યું, “આજે ઔપચારિક રીતે કેન્યા શિફ્ટ થઈ ગઈ. વધુ ગાંડપણ, વધુ હાસ્ય વિખેરતા રહીએ અને સુંદર યાદો બનાવતા રહીએ. જાદુની શરૂઆત થવા દો. જણાવી દઈએ કે, નિખિલ અને દલજીતની મુલાકાત ૨૦૨૧માં દુબઈમાં એક પાર્ટી દરમિયાન થઈ હતી.

તેમણે ત્યાં વાતો શરૂ કરી હતી અને તેમની વચ્ચે મિત્રતા બંધાઈ હતી. ધીમે-ધીમે તેઓ પ્રેમમાં પડ્યા હતા. દલજીતની જેમ જ નિખિલના પણ આ બીજા લગ્ન છે. નિખિલની બે દીકરીઓ છે ૧૩ વર્ષની આરિયાના અને આઠ વર્ષની કનિકા. દલજીતે અગાઉ એક્ટર શાલીન ભાનોત સાથે લગ્ન કર્યા હતા. કપલે ૨૦૦૯માં લગ્ન કર્યા હતા અને ૨૦૧૩માં છૂટાછેડા થયા હતા. તેમનો એક દીકરો છે જેડન.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.