Western Times News

Gujarati News

અંદામાન-નિકોબાર દ્વીપ પર ભૂકંપના આંચકા અનુભવાયા

નવીદિલ્હી, અંદામાન-નિકોબાર દ્વીપ સમૂહમાં રવિવારે અને સોમવારની દરમિયાની રાતે ૨.૨૬ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા પ્રમાણે, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૬ રહી.

ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા પ્રમાણે, તેનું કેન્દ્ર કેમ્પબેલ ખાડીથી ૨૨૦ કિલોમીટર ઉત્તરમાં જમીનની સપાટીથી લગભગ ૩૨ કિલોમીટરના ઉંડાણમાં હતું. આ ભૂકંપથી જાન-માલનું કોઈ પ્રકારના નુકસાનના સમાચાર નથી.

અંદામાન-નિકોબાર દ્વીપ સમૂહમાં છેલ્લા ૨૪ કલાકમાં ભૂકંપનો આ ત્રીજાે ઝટકો અનુભવાયો હતો. તે પહેલા રવિવારે બપોરે ૨.૫૯ વાગ્યે ભૂકંપનો ભારે આંચકા અનુભવાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૧ માપવામાં આવી હતી. તેના થોડીવાર બાદ એક અન્ય આંચકો અનુભવાયો હતો. આ વખતે તીવ્રતા રિક્ટર સ્કેલ પર પહેલા કરતા વધારે ૫.૩ રહી. ભૂકંપથી અહીં કોઈ પ્રકારના જાન-માલના નુકસાનની હાલ ખબર નથી. જાે કે આ સતત આવી રહેલા આંચકાથી લોકોમાં ભયનો માહોલ છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.