Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા માર્કેટયાર્ડ પાસે ગંદકીના ઢગલા: રોગચાળાની દહેશત

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડ પાસે ભક્તિનગર જતા ચાર રસ્તા પાસે ગંદકીના ઢેર થતાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. અગાઉ આ જગ્યાએ ડસ્ટબીન મુકેલ હતું જે ઉપાડી લીધા બાદ પણ અહીંયા કચરાઓના ઢગલા જાેવા મળે છે.

આ જગ્યાએ ગેરકાયદેસર ટ્રકોનું પણ લાઇનસર પાર્કિંગ જાેવા મળે છે જેને કારણે માર્કેટ યાર્ડમાં આવતા અનાજના ટ્રેક્ટરો ને જવામાં પણ તકલીફ પડતી હોય છે. અને ક્યારેક રસ્તો પણ જામ થઈ જતો હોય છે. અને કેટલી વાર આ ટ્રકો વાળા પણ તેઓનો કચરો અહીં ઠાલવતા જાેવા મળે છે.

આસપાસમાં વેપારીઓની દુકાન તથા ઘર તથા માર્કેટયાર્ડનું ભોજનાલય પણ આવેલ છે. દિન પ્રતિદિન આ ઢગલાઓમાં વધારો થતો હોય તો જાેવા મળે છે. પાલિકાએ આ ગંદકી દુર કરવાની તાતી જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.