Western Times News

Gujarati News

શીઝાને તુનિષાને યાદ કરતાં લખ્યું તને ગુમાવવાનું દુઃખ ઘણું છે

મુંબઈ, શીઝાન ખાન, જે સીરિયલ અલી બાબાઃ દાસ્તાં-એ-કાબૂલ’માં લીડ રોલ પ્લે કરી રહ્યો હતો તેનું પરિવાર સાથે હાલમાં જ ૬૯ દિવસ બાદ રિયુનિયન થયું હતું. કો-એક્ટ્રેસ અને પૂર્વ ગર્લફ્રેન્ડ તુનિષા શર્માને જીવન ટૂંકાવવા માટે દુષ્પ્રેરણા આપવાના કેસમાં તે જેલમાં કેદ હતો. થોડા દિવસ પહેલા જ એક્ટરે દિવંગત એક્ટ્રેસને યાદ કરતાં બંનેએ સાથે પસાર કરેલી યાદગાર ક્ષણનો એક વીડિયો શેર કર્યો હતો અને સાથે લાંબી નોટ પણ લખી હતી, જેમાં તેણે તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. Sheezan Khan Tunisha Sharma

હવે, શીઝાને ફરીથી તુનિષાને યાદ કરીને કવિતા શેર કરી છે, જેના શબ્દો તેણે પોતે લખ્યા છે. તેની પોસ્ટ વાયરલ થઈ રહી છે. શીઝાન ખાને ઈન્સ્ટાગ્રામ પર જે તસવીર શેર કરી છે, જે બ્લેક શ્ વ્હાઈટ છે. આ તસવીરમાં તે અને તુનિષા શર્મા એકબીજાની સામે જાેઈને મુક્ત મને હસી રહ્યા છે.

શીઝાને પોતાના એક હાથથી તુનિષાનો હાથ પકડી રાખ્યો છે જ્યારે બીજાે હાથ તેની કમર ફરતે વીંટાળ્યો છે. આ સાથે લખ્યું છે ‘એક રોઝ શામ તન્હા, ફિર તેરી કહાની યાદ આયી, આયી તો એસી આયી કે બસ જાન પર બન આયી, કઈ કિસ્સે હૈ તેરી બાતો કે, ઝમાને મેં ચર્ચે હૈ હમારી મુલાકાતો કે, તુજ્હે ખોને કા ગમ યા તુજ્હે પાની કી ખુશી, યે ખયાલ હૈ અબ બોજલ રાતો કે, કભી બા-દસ્તૂર આંખ લગી, તો યે ભી ખયાલ આ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Sheezan M Khan BABA (@sheezan9)

જાે ઉમ્ર તેરે સાથ ગુઝર ના શકી ઉસપર મલાલ આ ગયા, સાંફો કી તરહ ચલતે રહે કરવટો કે સિલસિલે, આગાઝ ઠીક સે હુઆ ભી નહીં, અંજામ કહાં સે આ ગયા- શીઝાન ખાન’. ‘ચક દે ઈન્ડિયા’ ફેમ એક્ટ્રેસ ચિત્રાંશી રાવતે કોમેન્ટ કરતાં લખ્યું છે ‘સુંદર’, તો એક ફેને લખ્યું છે ‘તમે બંને હંમેશા મારા ફેવરિટ રહેશો’, એક ફેન પેજે લખ્યું છે ‘શીઝાન અને તુન્ની બેસ્ટ’. તો એકે લખ્યું છે ‘એ પ્રેમ જ શું જે પીડા ન આપે’. આ સિવાય કેટલાક ફેન્સે એક્ટરને સીરિયલમાં પરત આવવાની વિનંતી કરી છે.

તુનિષા શર્માએ ૨૪ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ સીરિયલના સેટ પર રહેલા મેકઅપ રૂમમાં જીવનનો અંત આણ્યો હતો. આ જ દિવસે તેના મમ્મી વનિતા શર્માની ફરિયાદના આધારે શીઝાન ખાનની અટકાયત કરવામાં આવી હતી અને બીજા દિવસે ધરપકડ થઈ હતી. જે બાદ બંનેના પરિવારે એકબીજા સામે ઘણા આક્ષેપ લગાવ્યા હતા. આ સિવાય એક્ટરને જામીન અપાવવા માટે તેને બંને બહેનોએ ઘણી લડત લડી હતી અને અંતે ૫ માર્ચે તેની મુક્તિ થઈ હતી.

જેલમાંથી બહાર આવ્યા બાદ આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે તુનિષાને યાદ કરી હતી અને કહ્યું હતું કે ‘હું તેને ખૂબ જ મિસ કરી રહ્યો છું. જાે તે જીવિત હોત તો મારા માટે જરૂરથી લડી હોત’.

આ સાથે તેણે કહ્યું હતું કે, આટલા દિવસના અંતર બાદ પરિવારને મળીને તેને ખુશી થઈ છે. તેણે મમ્મીના ખોળામાં ઊંઘવાની અને તેમના હાથનું ભોજન જમવાની ઈચ્છા દર્શાવી હતી. જણાવી દઈએ કે, એક્ટરને ૧ લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મળ્યા છે તેમજ કેટલીક શરતોનું પાલન પણ કરવાનું કહેવામાં આવ્યું છે. કોર્ટે તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.