Western Times News

Gujarati News

એવું તે શું થયું કે માતાએ નવજાત બાળકીને 10 માળેથી ફેંકી દીધી

પ્રતિકાત્મક

ચાંદખેડામાં નવજાત બાળકની ૧૦માં માળેથી ફેંકીને હત્યા કરાઇ-પોલીસે એફએસએલની મદદથી તપાસ હાથ ધરીઃ શંકાસ્પદ મહિલાની પૂછપરછ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં રુંવાડા ઉભી કરી દે તેવી ઘટના બની છે. અમદાવાદના ચાંદખેડામાં નવજાત બાળકની હત્યા થઇ છે.

નવજાત બાળકને ૧૦ માળેથી ફેંકીને હત્યા કરાઇ હોવાનું સામે આવ્યુ છે. નિર્દોષ બાળકની ર્નિદયી રીતે હત્યા થવાથી સનસનાટી ફેલાઈ ગઇ છે. ત્યારે પોલીસે આ મામલામાં એક શંકાસ્પદ મહિલાની અટકાયત કરી છે. સાથે જ હ્લજીન્ની મદદ લઈ તપાસ શરૂ કરી છે. પોલીસે શંકાસ્પદ મહિલાની પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં નવજાત બાળકની હત્યા થઇ છે. આ સોસાયટીના સિકયુરિટી ગાર્ડ દ્વારા પોલીસને મેસેજ મળ્યો કે એક નવજાત બાળકને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો છે. મેસેજ મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને ૯માં કે ૧૦માં માળની છત ઉપરથી ફેંકી દીધો હતો.

પોલીસ તપાસમાં ૯માં માળે શેડ ઉપર બાળકના લોહીના નિશાન મળી આવ્યા છે. જેથી પોલીસે સોસાયટીમાં તપાસ શરૂ કરી છે.નિર્દોષ બાળકના હત્યા કેસની તપાસ કરતા બાળક નવજાત હોવાનું ખુલ્યું છે.

જેથી પોલીસે ઇ અને એફ બ્લોક સહિત અન્ય બ્લોકમાં તપાસ શરૂ કરી છે. સોસાયટીના તમામ સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા છે. આ એપાર્ટમેન્ટમાં કોઈ મહિલા ગર્ભવતી હતી કે કેમ શું કોઈએ બહારથી આવીને બાળકની હત્યા કરી છે બાળકની હત્યા પાછળનું કારણ શું હોઇ શકે છે તે તમામ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

જાેકે પોલીસને હત્યા પાછળ ઘર કંકાસ કે અનૈતિક સંબંધ જવાબદાર હોવાની શંકા છે. બાળકનો જન્મ ઘરમાં થયો હોય એવું પણ સામે આવી રહ્યું છે. જેથી હ્લ બ્લોકમાં નવમાં માળેથી એક શંકાસ્પદ મહિલાની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

ચાંદખેડામાં નવજાત બાળકની હત્યા પાછળ જન્મ આપનાર જનેતા જ હોય તેવી શકયતાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. પકડાયેલી મહિલાની હત્યામાં સંડોવણી છે કે કેમ, અન્ય કોઈ પણ હત્યામાં સંડોવાયેલુ છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.